સંજય દત્તે લગ્ન પહેલા રણબીરને આપી સાવ આવી સલાહ, સાંભળીને આલિયાને શરમથી પાણી પાણી થઈ જશે!

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચાર બી-ટાઉનની ગલીઓમાં છવાયેલા છે. બંને જલ્દી સાત ફેરા લેવાના છે. જોકે, આ કપલે અત્યાર સુધી તેમના લગ્ન વિશે મૌન સેવ્યું છે. દરમિયાન સંજય દત્તે લગ્ન પહેલા જ રણબીર અને આલિયાને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે સંજયે રણબીરને એવી સલાહ આપી છે, જેને સાંભળીને આલિયા પણ શરમાશે.

સંજયે રણબીરના લગ્ન વિશે આ વાત કહી

પિંકવિલાના અહેવાલ મુજબ, મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંજય દત્તને પૂછવામાં આવ્યું કે શું રણબીર કપૂર લગ્ન કરી રહ્યો છે? જવાબમાં તેમણે કહ્યું કે જો તે લગ્ન કરી રહ્યા છે તો હું તેના માટે ખૂબ જ ખુશ છું. આલિયા ભટ્ટ મારી સામે મોટી થઈ છે.

image source

સંજયે રણબીરને સલાહ આપી

સંજય દત્તે વધુમાં કહ્યું કે લગ્ન એ એક પ્રતિબદ્ધતા છે, જે તેઓ એકબીજા સાથે કરી રહ્યા છે. તેઓએ આ સારી રીતે કરવું જોઈએ. એકબીજાનો હાથ પકડી બંને ખુશખુશાલ અને શાંતિથી આગળ વધે. તેમણે કહ્યું- ‘રણબીર કપૂરને જલ્દી બાળકો થાય અને ખુશ રહે. જણાવી દઈએ કે સંજય દત્તના કપૂર પરિવાર સાથે ખૂબ સારા સંબંધો છે. રણબીર કપૂરે સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.