જમીન પર ઊંઘવાથી મગજ થાય છે શાંત, બીજા આ ફાયદાઓ જાણીને તમે પણ આજથી જ ઊંઘવા લાગશો જમીન પર
જમીન પર સૂવું એ એક સારું આસાન માનવામાં આવે છે.આનાથી હાડકાની કોઈ સમસ્યા થતી નથી.શરીર અને હાડકાંની ગોઠવણી જમીન પર સૂવાથી યોગ્ય રહે છે.સમય જતા હાડકાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.લોકો માને છે કે જમીન પર સૂવાથી કરોડરજ્જુને અસર થાય છે,પરંતુ તે એવું નથી.જમીન પર સૂવાથી પાછળના હાડકાને મજબૂત બને છે.જમીન પર સૂવાથી પીઠનો દુખાવો થવાની સંભાવના થતી નથી.જમીન પર સૂવાથી હિપ અને ખભા પણ સીધા રહે છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.જમીન પર સૂવાથી મન સ્વસ્થ રહે છે. ઉપરાંત કોઈ પણ પ્રકારનું તણાવ રહેતું નથી.હંમેશા ઊંઘ પુરી થાય છે.
કોઈપણ વ્યક્તિ આરામ માટે ખુબ મોટો બેડ અને આરામદાયક ગાદલું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પલંગ પર સૂવા કરતાં જમીન પર સૂવું વધુ ફાયદાકારક છે. આ દિવસોમાં કોઈ એવી વ્યક્તિ એવી નથી જે જમીન પર સૂવાનું પસંદ કરે. પરંતુ શું તમે જાણો છો કે જમીન પર સૂવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. આવી સ્થિતિમાં તમારે જમીન પર સૂવાના ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે.
દરેકના મનમાં એવું હોય છે કે બેડ પર સૂવાથી જ પૂરતી ઊંઘ થાય છે, પરંતુ એવું નથી જમીન સૂવાથી ઊંઘ તો પુરી થાય જ છે સાથે શરીરમાં થતા ઘણા દુખાવા અને પીડા પણ દૂર થાય છે. અત્યારના સમયમાં યુવાનીમાં જ કમરના દુખાવા થાય છે, આ એટલા માટે કારણ કે આપણને જે આરામદાયક ઊંઘ લાગે છે તે જ આપણી સમસ્યાઓનું કારણ છે. આપણા ઘરમાં રહેતા વડીલોને મોટી ઉંમરમાં પણ કમરના દુખાવા નથી થતા તેનું મુખ્ય કારણ છે કે તેઓ આરામદાયક ઊંઘ માટે ક્યારેય પણ બેડ પર સુવાનું પસંદ ન કરતા. તેઓ હંમેશા જમીન પર જ સુતા અને આજ કારણ છે કે તેમને શરીરના અંગોમાં મોટી ઉંમરે પણ કોઈ દુખાવો ન હોય. આ સિવાય પણ જમીન પર સુવાના ઘણા ફાયદાઓ છે, તો ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે.
જમીન પર ઓશિકા વગર સૂવાથી શ્વાસ લેવામાં થતી મુશ્કેલી ઓછી થઈ શકે છે.જમીન પર સૂવું એ શ્વાસના દર્દી માટે ફાયદાકારક છે.
શરીરનું ઉંચુ તાપમાન એ સૌથી સામાન્ય સમસ્યા છે જેનો વારંવાર લોકો સૂતા સમયે અનુભવે છે.આ એટલા માટે થાય છે કે કારણ કે શરીરમાંથી નીકળતી ગરમી ગાદલા અને ધાબળા વચ્ચે ફસાઈ જાય છે,જેના કારણે ગાદલાની સપાટી ગરમ થઈ શકે છે.પરિણામે તમે ગરમીનો અનુભવ કરી શકો છો.આવી સ્થિતિમાં તમને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.તેનાથી વિપરિત જ્યારે તમે જમીન પર સૂતા હો ત્યારે તમારા શરીરમાંથી બહાર નીકળતી ગરમી જમીન દ્વારા સરળતાથી શોષાય છે.આનો અર્થ એ કે તમને આ સમયગાળા દરમિયાન સારી ઊંઘ આવે છે.
જે લોકો જમીન પર સુવે છે તેમને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા ઓછી થાય છે.જ્યારે જમીન પર સૂતા હો ત્યારે સ્નાયુઓને આરામ કરવાનો યોગ્ય સમય મળે છે તેમજ મગજ પણ શાંત રહે છે.આ તમારી હીલિંગ સિસ્ટમને સારી રીતે કાર્ય કરવા માટે ઉત્તેજીત કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત