દૂધમાં અચુક તજનો પાવડર નાખીને પીવો, વજન સડસડાટ ધટશે અને સાથે થશે આટલા બધા ફાયદાઓ પણ
તજમાં ઘણા તત્વો જોવા મળે છે,જે શરીરને ખૂબ ફાયદો આપે છે.સ્વાદમાં તે ખાટા અને મીઠા હોય છે.તેના ઉપયોગથી અનેક રોગોથી મુક્તિ મળી શકે છે.તજનાં ફાયદાઓ વિશે દરેક લોકો જાણે છે,પરંતુ આજે અમે તમને જણાવીશું કે તજનું સેવન મધ સાથે કરવાથી કેટલો ફાયદો થાય છે.આ મિશ્રણના સેવનથી હાર્ટ પ્રોબ્લેમ્સ,કોલેસ્ટરોલ,ત્વચાની સમસ્યા,શરદી,કફ અને પેટની સમસ્યાઓથી રાહત મળે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે મધ અને તજનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી થતા ફાયદાઓ વિશે.
બદલાતી ઋતુમાં લોકોને વારંવાર વાયરલ તાવ અને શરદીનો સામનો કરવો પડે છે.તાવથી છૂટકારો મેળવવા માટે એક ચમચી મધ અને તજ પાવડર દૂધમાં મિક્સ કરીને પીવું જોઈએ.આ પીણાંથી તમને વાયરલ ઇન્ફેક્શનથી ઘણો ફાયદો થશે.
વજન ઓછું કરવા માટે એક ચમચી તજ પાવડરમાં બે ચમચી મધ નાખી આ મિક્ષણનું સેવન સવારે અને સાંજે બે સમય કરવું.દરરોજ આ કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે.
તજ પાવડર અને કાળા મરીનો પાવડર દૂધમાં મિક્સ કરીને પીવાથી ગળામાં થતી કોઈપણ સમસ્યાથી રાહત મળે છે.આ મિશ્રણનું સેવન 2 થી 3 વખત કરવાથી ગળાની સમસ્યામાં રાહત મળે છે.
તજ સાંધાનો દુખાવો દૂર કરવામાં ખૂબ ફાયદાકારક છે.દરરોજ હૂંફાળા પાણીમાં તજનું ચૂર્ણ પીવાથી શરીરમાં થતી દરેક સમસ્યા દૂર થાય છે.
તજ અને મધ સાથે ખાવાથી કબજિયાત,ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળે છે.આ મિશ્રણ ખાવાથી પેટમાં થતો દુખાવો અને એસીડીટીની સમસ્યા પણ દૂર થાય છે.
ઘણા લોકોને રાત્રે સારી ઊંઘ નથી આવતી અને જો ઊંઘ આવી જાય છે તો થોડા સમય પછી તરત જ ઊંઘ ઉડી જાય છે.આવા લોકો માટે તજનું દૂધ ખૂબ ફાયદાકારક રહેશે.તજમાંથી મળી રહેલો એમિનો એસિડ મનને શાંત કરવાનું કામ કરે છે અને સારી ઊંઘ તરફ દોરી જાય છે.તેવી જ રીતે ગરમ દૂધનું સેવન કરવાથી શરીરમાં લાગતો થાક અને તાણને રાહત મળે છે.
ઇન્સ્યુલિન વધારવા માટે તજ એ સૌથી સરળ ઉપાય છે.તે શરીરમાં બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.ડાયાબિટીઝથી પીડિત લોકોએ તજના દૂધનું સેવન કરવું જોઈએ.કેટલાક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે તજનાં ઔષધીય ગુણધર્મો બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને તમારી ડાયાબિટીઝની સમસ્યાને દૂર કરે છે.
તજમાંથી મળતું કેલ્શિયમ,ફાઈબર અને મેંગેનીઝ હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લોકો લાંબા સમયથી હાડકાં માટે તજના દૂધનો ઉપયોગ કરી રહ્યા છે.એટલું જ નહીં તાજના દૂધનું નિયમિત સેવન કરવાથી સંધિવાની સમસ્યા પણ નથી થતી.
તજનું દૂધ પીવાથી ત્વચા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે.તેમાં જોવા મળતા એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મ ત્વચાના રોગો અને ચેપથી ત્વચાને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.તેવી જ રીતે વાળની સમસ્યાને દૂર કરવા માટે, તજનું દૂધ જરૂરી છે,પરંતુ તાજના દૂધમાં મધનું મિશ્રણ કરવું પણ વાળ માટે ખુબ ફાયદાકારક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત