તમારી ત્વચાને નરમ બનાવવા માટે આ પાંચ ટીપ્સનો અમલ કરવો છે ખુબ જ જરૂરી, વાંચો આ લેખ અને મેળવો માહિતી…
કોણ એવું વ્યક્તિ હોય છે કે, જે સુંદર, મુલાયમ અને ચમકદાર ત્વચા રાખવા માંગતું નથી. આ માટે આપણે સલૂનમાં જવું, બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા જેવા ઘણા ઉપાયો અપનાવીએ છીએ પરંતુ, આપણે એ સમજવું પડશે કે ત્વચાને સુંદર અને આકર્ષક બનાવી રાખવા માટે તેની સાર-સંભાળ રાખવી ખુબ જ મહત્વની છે. આજે અમે તમને અમુક એવી ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ કે, જે તમારી ત્વચાની સાર-સંભાળ રાખવા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
ત્વચાને હંમેશા સ્વચ્છ રાખો :
ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે તેની નિયમિતપણે સફાઈ કરવી. નિયમિતપણે ત્વચાની સફાઈ ત્વચામાં શુષ્કતા લાવે છે. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી એ ત્વચાની સાર-સંભાળ રાખવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ માટે તમારી ત્વચાને યોગ્ય પોષકતત્વો મળે અને તે સ્વસ્થ અને ચમકદાર રહે તેની ખાતરી કરવા માટે મોઇશ્ચરાઇઝિંગ બોડી સાબુનો ઉપયોગ કરો.
યોગ્ય આહાર મહત્વપૂર્ણ છે :
તંદુરસ્ત ત્વચા પાછળ સંતુલિત આહાર પણ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનાથી શરીરને પોષણ મળે છે. તેથી આહારની ત્વચા પર સમાન અસર થશે. આપણો આહાર આપણી ત્વચાના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ખોરાકમાં મળતા પોષકતત્વો, ખનિજો અને પ્રોટીન કોલેજન ઉત્પાદન અને તંદુરસ્ત કોષપટલને ટેકો આપે છે અને ત્વચાને યુવી એક્સપોઝર જેવા હાનિકારક તણાવથી સુરક્ષિત કરે છે.
વધુ પડતું પાણી પીવું :
ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે જરૂરી છે કે આપણે પૂરતું પાણીનું સેવન કરીએ.પાણી તમારા શરીરને ફક્ત હાઇડ્રેટેડ જ નથી રાખતુ પરંતુ, શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે. તે ત્વચા પરની ખીલની સમસ્યાને રોકવામાં સહાયરૂપ સાબિત થાય છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.
શક્ય તેટલું હાસ્ય કરવું :
આપણામાંથી અમુક જ એવા લોકો હોય છે કે, જે આ હસવાના ફાયદાને સમજતા હોય. વાસ્તવમાં જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે લોહીનો પ્રવાહ ખુબ જ સારો રહે છે અને ત્વચાને વધુ ઓક્સિજન અને પોષકતત્વો મળે છે. તેથી ભવિષ્યમાં તમારે એ પણ નક્કી કરવું જોઈએ કે, તમે વધુ ને વધુ ખુશ રહેશો અને ત્વચાને કુદરતી રીતે ચમકવામાં મદદ કરશો. ખુશ રહેવાથી તમારી ત્વચા તંદુરસ્ત બને છે એટલું જ નહીં તે ગ્લો પણ કરે છે.
બોડી મૂવમેન્ટ પણ જરૂરી છે :
સફાઈ અને યોગ્ય પોષણ સાથે શારીરિક હલનચલન પણ જરૂરી છે તેમજ વધુ તંદુરસ્ત ત્વચા માટે મહત્વની બીજી વસ્તુ છે હલનચલન. જ્યારે આપણે અમુક કાર્યો દ્વારા શરીરની કેલરી બર્ન કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા દરમિયાન એન્ડોર્ફિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. આ એન્ડોર્ફિન મગજમાં રીસેપ્ટર્સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે અને તે હકારાત્મક લાગણીઓ અને ખુશમિજાજ વિચારોમાં વધારો કરે છે. જ્યારે તમારું મન અને શરીર ખુશ હોય છે ત્યારે તેની સીધી જ અસર ત્વચા પર દેખાય છે.