વજાઇનામાં બહુ આવે છે ખંજવાળ અને સાથે થાય છે બળતરા પણ? તો આ ઘરેલું ઉપાયોથી મેળવો છૂટકારો

સ્ત્રીઓને થતી વજાઇનામાં ખંજવાળ અથવા બળતરા ખૂબ જ પીડાદાયક છે. હંમેશાં એવું કહેવામાં આવે છે કે આપણે આપણા ખાનગી ભાગોમાં થતી સમસ્યાને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ, કારણ કે પાછળથી આ સમસ્યા મોટું સ્વરૂપ લે છે. વજાઇનામાં થતી બળતરાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે જાતીય તકલીફ, મેનોપોઝ, ચેપ, કેમિકલ અથવા ગંદા બાથરૂમ અથવા ટોઇલેટ સીટ ઇન્ફેક્શનના કારણે પણ થઈ શકે છે. આ સમસ્યા દૂર કરવા માટે ઘણી મહિલાઓ ડોકટરો પાસે જતા શરમ અનુભવે છે, તમારી આ સમસ્યા દૂર કરવા માટે આજે અમે તમને ઘણા ઉપાયો જણાવીશું જે ઉપાયો અપનાવીને મહિલાઓની આ સમસ્યા દૂર થશે.

દૂધ અથવા દહીં –

image source

ઠંડુ અથવા ગરમ દૂધ, મિલ્ક શેક અથવા દરરોજ કટોરી એક દહીં ખાઓ. આ કરવાથી એક અઠવાડિયામાં જ વજાઇનામાં થતી બળતરા ઓછી થઈ જશે.

ફળનો રસ

આ સમસ્યા દૂર કરવા માટે એવા ફળોનો રસ પીવો જોઈએ જે વિટામિન સીથી ભરપૂર હોય. આવી સ્થિતિમાં તમારે નારંગી, દ્રાક્ષ, અનાનસ અને મોસંબી વગેરેને રસ પીવો જોઈએ. આ કરવાથી એક અઠવાડિયામાં જ વજાઇનાની બળતરા ઓછી થઈ જશે.

શાકભાજીનો રસ

image source

તાજા શાકભાજીમાંથી કાઢવામાં આવેલા રસથી પણ ઘણો ફાયદો થાય છે. આ માટે તમારે કાકડી, ટમેટા, બટેટાની સાથે લીંબુ અને લસણનો રસ પીવો જોઈએ. આ રાસ્ના સેવનથી વજાઇનામાં થતી બળતરામાં તાત્કાલિક રાહત મળે છે. આ રસમાંથી તમને જે પોટેશિયમ અને વિટામિન સી મળે છે તે આ બળતરાને દૂર કરશે.

ઠંડુ પાણી

પાણી એ સૌથી આરોગ્યપ્રદ પીણું છે. પાણી પીવાથી શારીરિક દરેક સમસ્યાઓ દૂર થાય છે. વેજાઈનમાં થતી બળતરા દૂર કરવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં એક મુઠ્ઠીમાં લસણ અથવા અડધી ચમચી લીંબુનો રસ અને એક ચપટી મીઠું નાખીને તેને મિક્સ કરીને એકસાથે પી લો. આ ઉપાયથી એક અઠવાડિયામાં જ વજાઇનામાં થતી બળતરા ઓછી થઈ જશે.

બેકિંગ સોડા

image source

જો તમને પણ વજાઇનામાં આ સમસ્યા થાય છે, તો પછી બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નાહવાના પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. અથવા તમે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી શકો છો અને તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવી શકો છો. એક અઠવાડિયા સુધી આ ઉપાય અપનાવવાથી તમારી સમસ્યા દૂર થશે.

એલોવેરા જેલ

image source

એલોવેરા જેલમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઇન્ફેલેમેટરી ગુણ પણ છે જે ખંજવાળને દૂર કરે છે. આ માટે વેજાઈન પર એલોવેરા જેલ લગાડવાથી રાહત મળે છે. એલોવેરા જેલ લગાડતા સમયે ધ્યાન રાખો કે એલોવેરા જેલ માત્ર ઉપરની ત્વચા પર જ લગાડવું તે ભૂલથી પણ અંદરના ભાગમાં ન જવું જોઈએ.

નાળિયેર તેલ

image source

એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે નાળિયેર તેલ કેન્ડીડા અલ્બીકન્સને મારી શકે છે, જે આ ચેપનું કારણ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો સીધું વજાઇના પર નાળિયેર તેલ લગાવો. પરંતુ ધ્યાનમાં રાખો કે નાળિયેર તેલ ઉચ્ચ ગુણવતા ધરાવતું જ હોવું જોઈએ. તેલ લગાવ્યા પછી પેડ પહેરો જેથી કપડાં ઉપર કોઈ ડાઘ ન આવે.

ટી ટ્રી ઓઇલ

image source

આ તેલમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખંજવાળને દૂર કરે છે. આ તેલનો ઉપયોગ કરવા માટે ટી ટ્રી ઓઈલના 4 થી 6 ટીપાં લો અને તેને નહાવાના પાણીમાં મિક્સ કરી દો. ફક્ત આ જ નહીં, જો તમે ઇચ્છો તો આ તેલને એલોવેરા જેલ સાથે મિક્સ શકો છો અને તેને તમારા ખાનગી ભાગમાં લગાવી શકો છો. ત્યારબાદ જયારે આ તેલ સુકાઈ જાય પછી તેને ધોઈ લો.

લીમડા

image source

લીમડામાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે. લીમડો એન્ટી ફંગલ છે જે શરીરમાં વધી રહેલા ચેપને રોકવા માટે ફાયદાકારક છે. લીમડાનો ઉપયોગ કરવા માટે તમારા નહાવાના પાણીમાં લીમડાના કેટલાક પાન મિક્સ કરો અને આ પાણીથી નાઈ લો અથવા લીમડાના પાન 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. જ્યારે પાણી ઠંડુ થાય ત્યારે આ પાણીથી તમારા ગુપ્ત અંગ ધોઈ લો.

આ બાબતો પણ જરૂરથી ધ્યાનમાં રાખો –

– તમારા જૂના રેઝરને ફેંકી દો અને નવું ખરીદો

– સુતરાઉ કપડા પહેરો.

– તમારા ગુપ્ત અંગોને સાફ કરવા માટે ખૂબ કઠોર સાબુનો ઉપયોગ કરશો નહીં

– દિવસ દરમિયાન ઘણું પાણી પીવું

– પીરિયડ્સ દરમિયાન તમારા ગુપ્ત અંગો સાફ કરો અને દર ચાર કલાકે પેડ બદલો

image source

– જિમ અથવા સ્વિમિંગ પછી તરત જ કપડાં બદલો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત