જંતુનાશક દવાઓના ઉપયોગથી ઝેરી થયેલી શાકભાજીથી બચવાના આ ઉપાયો વિશે જાણો તમે પણ
ઝેરી શાકભાજીથી દૂર રહેવા માટે તમે એક સરળ ઉપાય અપનાવી શકો છો,આ માટે તમે તમારા ઘરની છત પર શાકભાજી ઉગાડી શકો છો.
શું તમે જે શાકભાજી ખાય રહ્યા છો,તે સલાત છે,ક્યાંક તે શાકભાજી ઝેરી તો નથીને ? તો ચાલો અમે તમને જણાવીએ કે ઝેરી શાકભાજીથી કેવી રીતે દૂર રેહવું જોઈએ.
– ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરો
– ઓર્ગેનિક શાકભાજીમાં જંતુનાશકોનો ઉપયોગ થતો નથી
– ઘરની છત પર શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કરો
– રસોઈ બનાવતા પહેલા શાકભાજીને સારી રીતે ધોઈ લો
– શાકભાજીને થોડા સમય માટે મીઠાના પાણીમાં રાખો
– શાકભાજીને પાણી અને બેકિંગ સોડાથી ધોઈ લો
– શાકભાજી ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો
– નદીઓ પ્રદૂષણ મુક્ત હોવી જોઈએ
– દૂષિત નદીઓના પાણીથી વાવેતર પર પ્રતિબંધ મૂકવો
– જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવી
ઘરે રહીને ખબર પડે તે સંભવ નથી.
જે ઝેર વાવેતર દરમિયાન શાકભાજીની અંદર પોહ્ચે છે,તે ઘરે રહીને જાણવું શક્ય નથી.આ કાર્ય ફક્ત લેબમાં જ શક્ય છે.આને અવગણવાની એક જ રીત છે અને તે છે કે તમારે ખૂબ જ આર્ગેનિક રીતે ઉગાડવામાં આવતી શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.જંતુનાશકોનો ઉપયોગ આર્ગેનિક ઉગાડવામાં આવતા શાકભાજીઓમાં થતો નથી,પરંતુ આવી શાકભાજી થોડી મોંઘી હોય છે.તેથી બીજી વસ્તુ તમે એ કરી શકો છો કે તે વ્યક્તિને પૂછો કે જેની પાસેથી તમે શાકભાજી ખરીદો તે આ શાકભાજી ક્યાંથી લાવે છે.થોડી તપાસ કર્યા પછી તમે જાણશો કે આ શાકભાજી પ્રદૂષિત નદીઓના કાંઠે ઉગાડવામાં આવી છે કે નહીં.
ઘરની છત પર વધુમાં વધુ શાકભાજી ઉગાડો
તમે એક કામ કરી શકો છો કે જો તમારા ઘરમાં છત હોય તો તમારા ઘરની છત પર કેટલીક શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કરો.જો કે આ પ્રક્રિયા સરળ નથી અને તેમાં વધુ ખર્ચ પણ થાય છે.પરંતુ જો તમે થોડી મહેનત કરી શકો,તો પછી તમે ઝેરી શાકભાજીથી દૂર રહી શકો છો.
રસોઈ બનાવતા પહેલા શાકભાજીને સારી રીતે ધોઈ લો
તમારા ઘરે પોહચો ત્યાં સુધી શાકભાજી પણ દૂષિત થઈ જાય છે.તેમને ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.તેથી શાકભાજીને રાંધતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.જો તમે ઈચ્છો તો આ શાકભાજીને થોડા સમય માટે મીઠાના પાણીમાં પણ પલાળી શકો છો.આને કારણે શાકભાજીમાં રહેલા ઘણા હાનિકારક તત્વો અલગ થઈ જાય છે અને શાકભાજી એકદમ તાજી રહેશે.
પાણી અને બેકિંગ સોડાથી પણ શાકભાજી ધોઈ શકાય છે
તમે શાકભાજીની છાલ દૂર કરીને તેને પાણી અને બેકિંગ સોડાથી ધોઈ શકો છો.શાકભાજી ધોવા માટે તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો,કારણ કે ગરમ પાણી શાકભાજીની બધી ગંદકી દૂર કરે છે.
સરકારોએ આ દિશામાં જરૂરી પગલાં ભરવા જોઈએ
સરકારો આ દિશામાં જરૂરી પગલાં લે તે ખૂબ મહત્વનું છે.નદીઓ પ્રદૂષણ મુક્ત હોવી જોઈએ અને આવું થાય ત્યાં સુધી,દૂષિત નદીઓના પાણીનો ખેતી પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
જંતુનાશકનો ઉપયોગ ન કરવાની સલાહ આપવી જોઈએ.
જો સરકાર ઇચ્છે તો ખેડુતોને જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવા સલાહ આપી શકે છે.આ માટે ખેડુતોને સમજવું પડશે કે તેઓ કેવી રીતે જંતુનાશકો વિના શાકભાજીને સલામત રાખી શકે.
એકંદરે આ કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાની જવાબદારી નથી.દેશના લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે સમાજના તમામ વર્ગોએ ભેગા મળી ઝેરી શાકભાજી અને ભેળસેળથી છૂટકારો મેળવવો પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત