જો ચોમાસાની ઋતુમાં આ 5 વાયરલ ઇન્ફેક્શનનું બચશો, તો કોરોનાનો નહિં રહે કોઇ ડર
નિષ્ણાંતોના મતે ચોમાસા દરમિયાન વાયરલ ઇન્ફેક્શનનું જોખમ અન્ય મહિનાની તુલનામાં બે ગણું વધી જાય છે. હવામાં વધારે પ્રમાણમાં ભેજ હોવાના કારણે બેક્ટેરિયા અને ચેપને વધવામાં મદદ મળે છે.ચોમાસા દરમિયાન કોઈ પણ વ્યક્તિને આ પાંચ વાયરલ ઇન્ફેક્શનની અસર ઝડપથી થાય છે.
ડાયરિયા
ચોમાસા દરમિયાન જો ખાવા-પીવાનું યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તેમાં જીવાણુ અથવા વાયરસ ઉત્પન્ન થાય છે આ જીવાણુ અથવા વાયરસ બેક્ટેરિયાનું કારણ બને છે.જેના કારણે ડાયરિયા થવાનો ખતરો રહે છે. ઘરના રાંધેલા ખોરાક આ ચેપને રોકવાનો મુખ્ય માર્ગ છે.ખોરાકમાં કોઈપણ ફૂગ અથવા જંતુઓ ન હોય તેની તાપસ કરો.ઉપયોગ કરતા પહેલા શાકભાજી અને ફળોને પાણીથી સારી રીતે ધોઈને ડાયરિયાથી બચી શકાય છે.
કોલેરા
તે પાણી દ્વારા ફેલાયેલું ઇન્ફેક્શન છે અને સામાન્ય રીતે તે ચોમાસા દરમિયાન થાય છે.તેનાથી બચવાનો ઉત્તમ રસ્તો એ છે કે શરીરમાં પાણીની માત્રા વધારવા માટે હાઇડ્રેટેડ રહેવું.સ્વચ્છ ખોરાક ખાવાથી ચેપ ટાળવામાં મદદ મળે છે.
શરદી અને ફ્લૂ
ચોમાસા દરમિયાન વાયરલ થતાં સામાન્ય રોગોમાં એક છે શરદી અને ફ્લૂ.આ ઋતુમાં,મોટાભાગના લોકો ઓછામાં ઓછા એક વખત તો બીમાર થતા જ હોય છે.વાયરલ રોગથી ચેપ લાગતા લોકોને તેમનાથી દૂર રહીને બચાવી શકાય છે.જો પરિવારના કોઈ સભ્યને આ ચેપ લાગે છે,તો પછી તે બીમાર વ્યક્તિને એક અલગ ટુવાલ અને વાસણનો ઉપયોગ કરવો જોઈએ.નિષ્ણાતો બીમાર વ્યક્તિને શક્ય તેટલું હાથ ધોવાની સલાહ આપે છે.
ટાઇફોઇડ
ટાઇફોઇડ તાવ એ બેક્ટેરિયલ રોગ છે જે સેલ્મોનેલ ટાઇફીથી થાય છે.ચોમાસાની ઋતુમાં આ રોગ સામાન્ય બની જાય છે.આ રોગથી વ્યક્તિની ત્વચા અને લીવર પર અસર પડે છે.આને અવગણવા માટે,શુદ્ધ પાણી પીવું અને બહાર ખુલ્લા પીણાંનો ઉપયોગ કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે.
ડેન્ગ્યુ
મુશળધાર વરસાદને લીધે પાણી એકઠા થાય છે.વરસાદના કારણે જમા થયેલું વરસાદી પાણી મચ્છરોના વિકાસ માટે યોગ્ય તક પૂરી પાડે છે.તેથી તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દેવું વધુ સારું છે.આ સિવાય સ્લીવલેસ કપડા ન પહેરવા જોયે,તમારે પુરી સ્લીવના કપડાં પહેરીને મચ્છરના કરડવાથી પોતાને બચાવી શકાય છે.
જાણો આ ઋતુ દરમિયાન ઇન્ફેકશનથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ.
બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ
વરસાદની ઋતુમાં બહાર જમવામાં ખૂબ જ મજા આવે છે.આળસ અને બહાર ખાવા માટે મસાલેદાર ખોરાક આપણને બહાર જમવા માટે મજબુર કરી દે છે,જે આ ઋતુમાં સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.આ ઋતુમાં,પાણીપુરી,ભેળપુરી અને સેન્ડવિચ જેવા ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે.
તેવી જ રીતે કાપેલા ફળો અને શાકભાજી જે બહારથી મળે છે તેનું સેવન ન કરો.આનાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ પણ વધે છે.આ બધાથી બચવા માટે,હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
મીઠાવાળા પાણીથી શાકભાજી ધોઈ લો
આ ઋતુમાં બજારમાંથી શાકભાજી ખરીદ્યા પછી તેને ગરમ પાણીથી ઘરે ધોઈ લો.તે ધોવા માટે મીઠાનો ઉપયોગ કરો તો તે વધુ સારું રહેશે.શાકભાજીને મીઠાવાળા પાણીમાં ધોઈને પછી જ તેને રાંધવા.આ જંતુઓ દૂર કરશે અને વનસ્પતિ પરના કૃત્રિમ રીતના રંગ,રચના અને સ્વાદને પણ દૂર કરશે.
શાકભાજી રાંધવા સિવાય સલાડમાં વપરાતી શાકભાજીઓને ધોવા વિશેષ ધ્યાન રાખવું.શાકભાજીમાંથી પાણી સંપૂર્ણપણે નીકળી ગયા પછી જ,તેને પોલિબેગ અથવા ફ્રીઝમાં રાખો.તેનાથી શાકભાજી વધુ દિવસો સુધી તાજી રહેશે.
વરસાદમાં ભીના થયા પછી સ્નાન કરવું
ઘણીવાર વરસાદમાં ભીના થયા પછી ઠંડી પડે છે.વરસાદમાં ભીના થાય પછી ઘરે પોંહચીને સીધું નહાવું,આ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.આનાથી કોઈપણ પ્રકારના ચેપનું જોખમ ઘટશે.ટુવાલથી સાબુ સુધીની દરેક બાબતમાં સાવધાની રાખવી.
ભીના કપડાં અને ભીના વાળવાળા એસી રૂમમાં પ્રવેશવાનું ટાળો.લાંબા સમય સુધી ભીના પગરખાં ન પહેરો. આ ઋતુમાં વધુને વધુ પાણી પીવોજેથી શરીરમાંથી વધુ ઝેર બહાર આવી શકે.પીવાનું પાણી ઉકાળવું અને તેમાં ક્લોરાઇડ ઉમેરવું વધુ સારું રહેશે.
સ્વચ્છતા અને વ્યાયામ જરૂરી છે
વરસાદમાં વધારાની સ્વચ્છતા રાખવાની જરૂર છે.રૂમ સિવાય,રસોડામાં,ઘરની આજુબાજુ અથવા ઘાસ પર ક્યાંય પણ ગંદુ પાણી એકઠું થવા ન દો.તેમાં મચ્છર અને બેક્ટેરિયા આવે છે.તમારા ઘરને સંપૂર્ણ ચોખ્ખું રાખો. પ્લમ્બરને બોલાવી કાટવાળું અને લીસી ગટરનાં પાઈપો તપાસો.આ પાઈપો એ જંતુઓ અને બેક્ટેરિયાનું મુખ્ય સ્થળ છે.મોર્નિંગ વોક વરસાદમાં વારંવાર થતી નથી,તેથી ઘરે કસરત કરો,જેથી તમે ફિટ રહી શકો.
ચોમાસાની ઋતુમાં વરસાદની મજા માણતી વખતે,ધ્યાનમાં રાખો કે તમે અજાણતાં બીમારીને આમંત્રણ આપી રહ્યાં નથી ને.જો તમે બીમાર થાવ છો,તો તરત જ ડોક્ટર પાસે જાવ અને તેના દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત