શું છે અભિનેત્રી સોનાક્ષી સિંહાના લગ્નનું સત્ય? અભિનેત્રીએ કર્યો ખુલાસો

સોનાક્ષી સિન્હાના જીવનનું સૌથી મોટું સપનું સાકાર થયું. મિસ્ટ્રીમેન સાથેની તેની સગાઈના સમાચાર વચ્ચે સોનાક્ષીએ તેની નવી આર્ટિફિશિયલ નેઈલ બ્રાન્ડ લોન્ચ કરી છે. આ ખુશખબર તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. સોનાક્ષીએ SOEZI નામની આર્ટિફિશિયલ નેઇલ બ્રાન્ડ શરૂ કરી છે. આ સાથે સોનાક્ષી હવે તે અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે જે અભિનય સાથે બિઝનેસ સંભાળી રહી છે.

image source

મિસ્ત્રી મેન સાથે આવી હતી તસ્વીર

થોડા સમય પહેલા, સોનાક્ષી સિન્હા એક મિસ્ટ્રીમેન સાથે તેની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. પરંતુ વાસ્તવમાં, સોનાક્ષી સગાઈની વીંટી નહીં પણ તેની નેલ બ્રાન્ડને પ્રમોટ કરી રહી હતી. લગ્નના સમાચાર પર સોનાક્ષીએ કંઈ કહ્યું નથી, પરંતુ હા તેણે SOEZI વિશેની પોસ્ટ શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

આર્ટિફિશિયલ નખના શોખીન લોકો માટે SOEZI એક શ્રેષ્ઠ ભેટ છે. સામાન્ય છોકરીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, SOEZIએ આર્ટિફિશિયલ નખની કિંમત ઘણી ઓછી રાખી છે. એટલે કે સોનાક્ષી સિન્હાની બ્રાન્ડના નખ બહુ મોંઘા નથી. તેની કિંમતો એટલી છે કે કોઈપણ છોકરી સરળતાથી તેનું સપનું પૂરું કરી શકે છે.

સોનાક્ષી એકમાત્ર એવી અભિનેત્રી નથી જેણે બિઝનેસ ચલાવવાનું શરૂ કર્યું છે. આ લિસ્ટમાં સોનાક્ષી ઉપરાંત અનુષ્કા શર્મા, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને રિયા કપૂરનું નામ પણ સામેલ છે. એક તરફ જ્યાં કેટરીના ‘કે બ્યુટી’ની માલિક છે. તે જ સમયે, આલિયા કપડાંની બ્રાન્ડનું કામ સંભાળે છે. જે પણ હોય, સોનાક્ષીને તેની નવી ઇનિંગ માટે ખૂબ ખૂબ અભિનંદન.