આજથી જ કરવા લાગો આ કામ, માત્ર અઠવાડિયામાં જ વાળની રફનેસ થઇ જશે દૂર અને વાળ થઇ જશે સિલ્કી

વાળ એ શરીરનો એક એવો ભાગ છે, જેને માનવીય સુંદરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પુરુષો હોય કે મહિલા, મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય છે. તેથી જ આજે અમે તમને સિક્રેટ ફોર્મ્યુલા જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે તમારા વાળ કાળા, જાડા અને ફરી રેશમી જેવા ચમકદાર બનાવી શકો છો. તો ચાલો અમે તમને એ આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ.

ત્રિફળા, ઘી અને મધનું મિશ્રણ

image source

ખરેખર, ત્રિફળા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આજે, અમે તમને જે સિક્રેટ ફોર્મ્યુલા જણાવી રહ્યા છીએ, તેમાં ત્રિફળાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ માટે એક ચમચી ત્રિફળા પાવડરમાં એક ચમચી શુદ્ધ દેશી ઘી અને એક ચમચી મધ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિક્ષણને ખાઈ લો. ધ્યાનમાં રાખો કે આ મિશ્રણ રાત્રે ખાવાનું છે અને બીજા દિવસે સવારે તમારા વાળને થોડા સમય માટે તડકામાં રહેવા દો.

આયુર્વેદમાં વાળને ધુવાળો આપવો એટલે કે વાળને સ્ટીમ આપવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી, સ્ત્રીઓએ તેમના વાળને થોડા સમય માટે ધુવાળો આપવો જોઈએ. જો કે, ધ્યાનમાં રાખો કે વાળને ધૂપથી થોડું દૂર રાખવું જોઈએ.
ત્રીજો ફોર્મ્યુલા એ છે કે એક વાટકીમાં પલાળેલી અળદની દાળ, તમાલપત્રના 10-12 પાન, જાસુદનું ફૂલ અને નાળિયેરનું દૂધ મિક્સ કરીને આ બધી જ ચીજોને પીસી લો. હવે આ મિશ્રણ તમારા વાળમાં લગાવીને થોડા સમય માટે રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાયથી તમને ઘણો ફાયદો થશે.

image source

આ સિવાય રાગી, ખસખસ, બદામ, ગુંદના લાડુઓ વગેરેનું સેવન કરો. આ દરેક ચીજોના સેવનથી હાડકા મજબૂત રહેશે, જો હાડકા મજબૂત થશે તો શરીરની દરેક સમસ્યાઓ સરળતાથી દૂર થશે.

image source

આ સિવાય પણ તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટેની અન્ય ટિપ્સ પણ જાણો.

– નિયમિત કસરત ઉપરાંત યોગ અને ધ્યાન પણ કરવું જોઈએ. નિયમિત ધ્યાન અને યોગ કરવાથી તમારું તાણ ઘટે છે. તાણ પણ વાળ ખરવાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. યોગ અને ધ્યાનથી વાળ ખરતા અટકી શકે છે.

image source

– તેલથી વાળની માલિશ કરવી મહત્વપૂર્ણ છે. બદલાતા સમયમાં લોકો વાળ પર તેલ લગાવતા નથી. આ સિવાય વાળની યોગ્ય સંભાળ માટે પણ યોગ્ય તેલની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. ઓલિવ અને નાળિયેર તેલને મજબૂત વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બજારમાં મળતા કેમિકલ તેલનો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમારા વાળ ખૂબ જ ઝડપથી ખરી રહ્યા છે, તો પછી લવંડર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

image source

– શિકાકાઈ વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. શિકાકાઈમાં એન્ટીઓક્સિડેન્ટ્સની સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય છે. આ વિટામિન્સ સાથે મળીને વાળમાં પોષણ પૂરું પાડે છે અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિકાકાઈ શોધવું એકદમ સરળ છે, શિકાકાઈ ફળ અને પાવડર કોઈપણ બજારમાં સરળતાથી મળી રહે છે.

image source

શિકાકાઈ વાળ માટે શ્રેષ્ઠ છે. શિકાકાઈ એક આયુર્વેદિક ઔષધિ છે. તે વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેથી વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે શિકાકાઈનો ઉપયોગ કરી શકાય છે.

– અશ્વગંધા એ આયુર્વેદિક દવા છે જેનો મોટાભાગના લોકોએ ઉપયોગ કર્યો છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, જો તમારા વાળ ખુબ જ પાતળા થઈ રહ્યા છે અને તમારા માથા ટાલ પડી છે. તો તમારા વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે તમે અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો. ઘણા શેમ્પુમાં પણ અશ્વગંધા જોવા મળે છે, તમે આ માટે તે શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો છો.

image source

– જો તમારા વાળ ખરવાની સમસ્યા વધી રહી છે, તો નાળિયેર તેલ અને ઓલિવ તેલને સમાન પ્રમાણમાં મિક્સ કરો અને તેને સારી રીતે ગરમ કરો અને તેમાં એક ચમચી એરંડા તેલ અને થોડા ટીપાં ગુલાબજળ ઉમેરી વાળમાં લગાવો અને તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને તમારા વાળ હળવા હર્બલ શેમ્પુથી ધોઈ લો. આ ઉપાય તમારા વાળ ખરવાની સમસ્યા તો દૂર કરશે જ સાથે તમારા વાળ લાંબા, જાડા અને મજબૂત બનાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત