મલાઈકા અરોરા સાથે અર્જુન કપૂરના થવા જઈ રહ્યા છે લગ્ન, થઈ આવી ચર્ચા તો એક્ટરે આપ્યો જોરદાર જવાબ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. અર્જુન-મલાઈકા હવે મુક્તપણે સાથે ફરે છે. આ સિવાય તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાની લાગણી વ્યક્ત કરે છે. બોલિવૂડ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. આ સાથે જ તેમના લગ્નના સમાચાર પણ આવવા લાગ્યા છે. લગ્નના સમાચાર વચ્ચે અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે, શું જાણવા ઈચ્છો છો કે એ સ્ટોરીમાં શું છે?

શું છે અર્જુન-મલાઈકાના લગ્ન પાછળનું સત્ય?

રિપોર્ટ્સ અનુસાર, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેમાં તેના નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ થશે. મલાઈકા અને અર્જુનના લગ્નના સમાચારને લઈને અફવાઓનું બજાર ગરમ હતું કે અર્જુને ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. અર્જુન લખે છે કે મને ગમ્યુ કે કેવી રીતે મારા કરતા બીજા મારા જીવન વિશે વધુ જાણે છે.

image source

ડાયરેક્ટ-ઈનડાયરેક્ટ રીતે, અર્જુનની આ ઇન્સ્ટા પોસ્ટ તેના અને મલાઈકાના લગ્નના સમાચાર સાથે સંબંધિત છે. અભિનેતાની પોસ્ટ પરથી એવું લાગે છે કે લગ્નની બાબતમાં થોડી શક્તિ છે. આવનારા સમયમાં ખબર પડશે કે લગ્નના સમાચારમાં કેટલું સત્ય છે અને કેટલું નથી. જ્યાં સુધી આપણે માત્ર અને માત્ર કપલને સાથે જોઈને ખુશ રહી શકીએ છે.