બનાસકાંઠામાં જળ આંદોલન વધારે વકર્યું, હવે ફરીથી 125 ગામની મહિલાઓએ PMને લખ્યા પોસ્ટકાર્ડ, બસ આટલી જ માંગ છે કે….
આજ રોજ ગુજરાત સરકારે પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. 1566.25 કરોડના કામોને મંજુરી આપી છે. તેમજ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના રૂ. 192 કરોડના કામોને પણ મંજૂરી આપી દીધી છે. છતાંય બનાસકાંઠામાં જળ આંદોલન યથાવત છે. બનાસકાંઠામાં પાણી માટે 125 ગામની મહિલાઓએ PM મોદીને ફરીવાર પોસ્ટકાર્ડ લખ્યા છે. આ મહિલાઓએ વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવા PMને રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, કસરા-દાંતીવાડા પાઈપલાઈનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. પાટણના બે તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે. આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારને પૂરતું પાણી મળશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઈનથી 100 ક્યુસેક પાણીનું વહન થશે. નર્મદાના પાણીને મુક્તેશ્વર ડેમમાં રાખવામાં આવશે. બનાસકાંઠાના પૂર્વ વિસ્તારની 20 હજાર હેક્ટર જમીનને આનાથી ફાયદો થશે.
પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને એક મહત્વના નિર્ણયરુપે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. 1566.25 કરોડના કામોને મંજુરી આપી છે. તેમજ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના રૂ. 192 કરોડના કામોને પણ મંજુરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં. PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પાણી માટે ‘પોસ્ટકાર્ડ આંદોલન’ ચલાવવામાં આવ્યું.
પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને એક મહત્વના નિર્ણયરુપે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. 1566.25 કરોડના કામોને મંજુરી આપી છે. તેમજ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના રૂ. 192 કરોડના કામોને પણ મંજુરી આપી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2022
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી તેઓની માંગ ન સ્વીકારાતા છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન છેડાયું હતું.