ચણાનો લોટ અને હળદર સ્કિન માટે છે સૌથી બેસ્ટ, જેમાં આ વસ્તુ કરો મિક્સ અને પછી લગાવો ચહેરા પર, ખીલી ઉઠશે સ્કિન
આજે પણ જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે, ત્યારે કાચા દૂધ, ચણાનો લોટ અને હળદરની પેસ્ટ ચેહરા પર લગાવે છે. ચણાનો લોટ, હળદર અને કાચું દૂધ ચહેરાના રંગને વધારે છે. બજારમાં કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે આપણે ઘરેલુ ઉપાય ભૂલી જઈએ છીએ. આજ અમે તમને જે ઉપાય જણાવીશું, તેનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવી રહ્યો છે. હવે લોકોને 5 મિનિટમાં ગ્લોઇંગ ક્રીમની જરૂર છે. કારણ કે આવું ઇન્સ્ટન્ટ ગ્લો ક્રીમ ત્વચા માટે પણ નુકસાનકારક છે. રસોડામાં મળતી ચીજો જેવી કે હળદર, ચણાનો લોટ અને કાચા દૂધ ચહેરા પર કોઈ આડઅસર નથી કરતી. જી હા, તે અલગ બાબત છે કે જે લોકોને આ ઘટકોથી એલર્જી હોય છે અને સંવેદનશીલ ત્વચા હોય છે, તો તેઓએ આ ચીજોનો ઉપયોગ કરતા પેહલા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. આજના લેખમાં, આપણે જાણીશું કે કાચા દૂધ, હળદર અને ચણાનો લોટ ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે. દરેક વ્યક્તિને ખબર હશે કે તેની પેસ્ટ કેવી રીતે બનાવવી. તો ચાલો જાણીએ આ ઉપાયથી થતા અઢળક ફાયદાઓ વિશે.
આ રીતે પેસ્ટ બનાવો
એક કપ કાચું દૂધ લો અને તેમાં એક ચમચી ચણાનો લોટ અને હળદર પાવડર નાખો. આ મિક્ષણની એક જાડી પેસ્ટ બનાવો. તે પછી ચહેરો સાફ કરીને ધોઈ લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. પેસ્ટ સૂકાઈ જાય પછી તમારો ચેહરો હળવા પાણીથી ધોઈ લો. તે પછી તમારા ચેહરા પર એક સારું મોઇશ્ચરાઇઝર લગાવો.
ચહેરા પર આ પેસ્ટ લગાવવાથી થતા ફાયદા.
ખીલ દૂર કરવામાં મદદગાર છે
હળદરની પેસ્ટ લગાવવાથી ખીલની સમસ્યા ઓછી થાય છે. જો તમે ખીલને દૂર કરવા માટે સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરી રહ્યા છો, છતાં પણ તમારા ચેહરા પરની કોઈ સમસ્યા દૂર નથી થતી. તો પછી હળદરની આ પેસ્ટનો ઉપયોગ એકવાર કરવો જોઈએ. આ પેસ્ટ લગાવવાથી ચહેરાના ખીલ દૂર થાય છે સાથે ત્વચામાં ગ્લો પણ વધશે.
શુષ્ક ત્વચા દૂર કરો
ઉનાળામાં લોકોની ત્વચા ઘણીવાર શુષ્ક, નિર્જીવ બની જાય છે, પરંતુ જો તમે હળદરની આ પેસ્ટ લગાવો તો તમારી ત્વચા નરમ રહેશે. ત્વચામાં શુષ્કતા આપણે ચહેરાનું મોઇશ્ચરાઇઝ છીનવી લે છે, પરંતુ હળદરમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે. જેના કારણે શુષ્કતાની સમસ્યા દૂર રહે છે. તો જો તમે પણ ચેહરા પર શુષ્કતાની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે ઘરે બેઠા બેઠા આ ઉપાય અપનાવી શકો છો. ઉપરાંત, હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ચહેરાની અન્ય સમસ્યાઓ પણ ઘટાડે છે.
કાચા દૂધ ચહેરા પર લગાવવાથી શું ફાયદો થાય છે ?
ચેહરા પર મોઇશ્ચરાઇઝિંગ જાળવે છે
કાચા દૂધમાં એવા ગુણધર્મો હોય છે જે ચહેરા પર મોઇશ્ચરાઇઝ જાળવે છે. કાચા દૂધની આ પેસ્ટ લગાવવાથી શુષ્કતાની સમસ્યા ઓછી થાય છે. ચહેરાની ચમક પાછી આવે છે. કાચું દૂધ એક મહાન ત્વચા ટોનર તરીકે કાર્ય કરે છે. કાચું દૂધ તમામ પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. તે ત્વચાને સ્થિતિસ્થાપક બનાવે છે.
ફેસ ક્લીન્સરનું કામ કરે છે
કાચું દૂધ ચહેરા પર લગાવવાથી ચહેરાની ગંદકી દૂર થાય છે. તે બ્લેકહેડ્સ પણ સાફ કરે છે. તે એક સારો ટોનર, મોઇશ્ચરાઇઝર અને ક્લીન્ઝર પણ છે. કાચું દૂધ, ચણાનો લોટ અને હળદરની પેસ્ટ લગાવવાથી ત્વચાને આ ત્રણેયનો લાભ મળે છે.
ચહેરા પર ચણાનો લોટ લગાવવાથી શું ફાયદો થાય છે ?
કરચલીઓ ઘટાડે છે
ચણાની લોટની પેસ્ટ લગાવવાથી કરચલીઓની સમસ્યા ઓછી થાય છે. ચણાનો લોટ ફાઇન લાઈન ઘટાડવામાં મદદ કરે છે. ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરે છે. ચણાની લોટની પેસ્ટ લગાવવાથી ચહેરાને સુંદરતા મળે છે.
તૈલીય ત્વચામાં મદદરૂપ છે
જે લોકોની ત્વચા તૈલીય છે, તે લોકોએ ચણાના લોટની આ પેસ્ટ લગાવવી જ જોઇએ. ચણાના લોટની આ પેસ્ટ તેલયુક્ત ત્વચા માટે ફાયદાકારક છે. ચણાનો લોટ ત્વચાને સાફ કરવામાં પણ મદદ કરે છે.
કાચા દૂધ, ચણાનો લોટ અને હળદરની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ, તેલયુક્ત ત્વચા અને શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત