કોરોના પોઝિટિવ છો? તો ઝડપથી સાજા થવા ખાસ ફોલો કરો આ ટિપ્સ, નહિં લેવા પડે સ્ટીરોઇડના ઇન્જેક્શન
કોરોના વાયરસના ચેપથી સાજા થતાં દર્દીઓ માટે સરકાર દ્વારા આહાર ચાર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ તમારી નબળાઇ ઘટાડશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે. જેથી તમે જલ્દીથી સ્વસ્થ થશો. લોકો કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે તેમના જીવનમાં ઘણા ફેરફારો કરી રહ્યા છે. લોકોએ તેમની જીવનશૈલી અને ખોરાકમાં ઘણી હદ સુધી સુધારો કર્યો છે. લોકો તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવી રહ્યા છે. તે જ સમયે, જે લોકો કોરોના ચેપથી રિકવરી મેળવી રહ્યા છે, તેઓને પણ તેમના ખાવા પીવા વિશે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. હવે દર્દીઓની ઝડપથી રિકવરી માટે નિષ્ણાતો દ્વારા આહાર યોજના જારી કરવામાં આવી છે. આ તે લોકો માટે ખૂબ ફાયદાકારક રહેશે જે કોરોનટાઇનમાં સ્વસ્થ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તમે કોરોના પછી ઝડપી રિકવરી માટે આ આહાર ચાર્ટ અપનાવી શકો છો. આ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે અને તમે જલ્દીથી સ્વસ્થ થશો.
1- કોરોના દર્દીઓએ સવારે ઉઠીને પલાળેલા બદામ અને કિસમિસ ખાવા જોઈએ. તમે થોડા દિવસો માટે નિયમિતપણે ખાઓ.
2- સવારના નાસ્તામાં રાગી ડોસા અથવા એક બાઉલનો દલિયાનું સેવન કરો. આ ખોરાક તમારું પાચન યોગ્ય રીતે જાળવી રાખે છે.
3- બપોરના ભોજનમાં અથવા જમ્યા પછી ગોળ અને ઘી ખાઓ. તમે રોટલી સાથે પણ ગોળ અને ઘી ખાઈ શકો છો. આ શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
4- તમે રાત્રીના ભોજનમાં ખીચડી ખાઈ શકો છો. તેમાં તમામ જરૂરી પોષક તત્વો હોય છે. આ સિવાય ખીચડી ખાવાથી ડાયરિયા અથવા પેટ સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.
5- એક દિવસમાં પુષ્કળ પાણી પીવું. જો તમે ઈચ્છો છો તો તમે ઘરે બનાવેલું લીંબુનું શરબત અને છાશ પણ પી શકો છો. આ ચીજોના સેવનથી શરીર સંપૂર્ણ રીતે હાઇડ્રેટેડ રહે છે જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શરીરના અંગોને પણ અસર થતી નથી.
6- ખોરાકમાં પ્રોટીન સમૃદ્ધ વસ્તુઓનો સમાવેશ કરો જેમ કે ચીઝ, સોયાબીન અને બદામ. આ સ્નાયુઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે.
7- રોજ રંગીન શાકભાજી અને ફળો ખાઓ. તેનાથી શરીરને વિટામિન અને ખનિજો મળે છે. વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજો બધા રંગોનાં ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં જાય છે.
8- જો તમે કોરોનટાઇન દરમિયાન તાણ અનુભવો છો, તો પછી તમે થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. તમે એવી ચોકલેટનું સેવન કરો જેમાં 70 ટકા કોકો હોય છે.
9- દરરોજ રાત્રે હળદરનું દૂધ પીવો. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. હળદરમાં એન્ટિબાયોટિક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
10- રસોઈ બનાવવા માટે અખરોટ, બદામ, સરસવ અથવા ઓલિવ તેલનો ઉપયોગ કરો. આ તમારા માટે સારો વિકલ્પ રહેશે.
11 – કોરોનટાઇન દરમિયાન તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ તમને સરળતાથી સ્વસ્થ થવામાં મદદ કરશે.
12 – લીંબુમાં વિટામિન સી પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તમારે લીંબુને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ. આ ઘણા રોગોથી બચવા માટે મદદ કરશે. આ ઉપરાંત, તે ઓક્સિજનનું સ્તર વધારવામાં પણ મદદગાર હોવાનું માનવામાં આવે છે.
13 – આ સિવાય તમે વિટામિન એ નું સેવન પણ કરી શકો છો. વિટામિન એ ઇંડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય તે શક્કરીયા, ગાજર, દૂધી, કેરી અને પાલક વગેરેમાં પણ જોવા મળે છે.
14 – કેપ્સિકમમાં,વિટામિન સી,વિટામિન એ,આલ્કલોઇડ્સ,ફલાવોનાઇડ્સ અને ટેનીન જેવા તત્વો વધુ પ્રમાણમાં જોવા મળે છે.તેમાં હાજર એલ્કલોઇડ્સ આપણા શરીર માટે એન્ટીઓકિસડન્ટો અને બળતરા વિરોધી તરીકે કાર્ય કરે છે. આ સાથે કેપ્સિકમનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં પણ ફાયદાકારક છે. તેથી એવું કહી શકાય કે કોરોના દરમિયાન કેપ્સિકમનું સેવન ઉપયોગી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત