હવેથી પાણી પીતી વખતે ના કરતા આ 5 ભૂલો, નહિં તો પાછળથી આવશે પસ્તાવાનો વારો
પાણી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.તેથી જ ડોકટરો પણ આપણને પૂરતું પાણી પીવાની સલાહ આપે છે.આજે અમે તમને જણાવીએ કે પાણી પીવાની સાચી રીત શું છે.
પાણી આપણા શરીરનું એક મહત્વપૂર્ણ ઘટક છે,જે આપણા શરીરમાં 60 ટકા પ્રવાહીના રૂપમાં હાજર છે. બધી પસંદગીયુક્ત પ્રક્રિયાઓ માટે માનવના શરીરમાં પાણીની આવશ્યકતા હોય છે.તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે,તેથી જ ડોકટરો પણ આપણને પૂરતું પાણી પીવાની સલાહ આપે છે,પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો પાણી પીતી વખતે સમાન પ્રકારની ભૂલો કરે છે.જે પાંચ ભૂલો આજે અમે તમને જણાવી રહ્યા છીએ…
1.ઉભા રહીને પાણી ન પીવો
એક એહવાલ અનુસાર જણાવવામાં આવ્યું છે કે,ઉભા રહીને પાણી પીવું જોઈએ નહીં કારણ કે તેના ઘણા ગેરફાયદા છે,જે આપણને સ્પષ્ટ દેખાતા નથી.આયુર્વેદ અનુસાર,જ્યારે તમે ઉભા રહીને પાણી પીતા હોવ ત્યારે તમને પાણીમાંથી પોષક તત્વો મળતા નથી કારણ કે તે તમારા નીચલા પેટમાં જાય છે.ઉભા રહીને પાણી પીવું એ તમારા સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે.
2. ખૂબ ઝડપથી પાણી ન પીવું
ઝડપથી પાણી પીવાથી તેમાં રહેલા તત્વો આપણા શરીરને પ્રાપ્ત થતા નથી.પાણી ઝડપથી પીવાથી,તેમાં રહેલી અશુદ્ધિઓ બહાર જવાને બદલે કિડની અને મૂત્રાશયમાં જમા થઈ જાય છે.પરંતુ ધીરે ધીરે પાણી પીવું અને નાના નાના ઘૂંટડા પીવાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને તમારા ચયાપચયને સુધારવામાં મદદ મળે છે.
3. ભોજન પહેલાં અથવા પછી પાણી પીવું નહીં
જ્યારે તમે જમતા પહેલા જ પાણી પીતા હોવ,તો તમે યોગ્ય રીતે ખાઈ શકતા નથી.જમતા પેહલા પાણી પીવાથી તમને તમારું પેટ ભર્યું-ભર્યું લાગે છે,તેથી તમે યોગ્ય પ્રમાણમાં ભોજન ખાઈ શકતા નથી અને તેથી તમને પૂરતું પોષણ મળતું નથી.જો તમે જમ્યા પછી તરત જ પાણી પીતા હોવ તો તે તમારા પાચનમાં ખલેલ પહોંચાડે છે.તેનાથી કબજિયાત અને ઉબકા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
4. વધારે પ્રમાણમાં પાણી પીવું પણ યોગ્ય નથી
મોટાભાગના લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી,પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે વધુ પ્રમાણમાં પાણી પીવે છે. પાણીની વાત આવે ત્યારે પણ આપણે વધારે પાણી પીએ છીએ,પરંતુ તેમ કરવું પણ યોગ્ય નથી. કારણ કે વધારે પાણી પીવાથી કોઈ આરોગ્ય લાભ થતો નથી.વધુ પડતું પાણી પીવાથી હાયપોનેટ્રેમિયા થઈ શકે છે,જેને પાણીનો નશો પણ કહેવામાં આવે છે.આ સ્થિતિમાં,શરીરમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું થઈ શકે છે,જેથી મગજમાં સોજો,કોમામાં જવું અને આંચકી જેવી તકલીફો પણ થઈ શકે છે.
5.વર્કઆઉટ્સમાં પાણી પીવાની રીત
વર્કઆઉટ્સ પહેલાં અને પછી પાણી ન પીવું જોઈએ.તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે.વર્કઆઉટ કરતા અડધા કલાક પહેલાં ઓછામાં ઓછું 250 મિલીલીટર પાણી પીવું જોઈએ.તમારે વર્કઆઉટ દરમિયાન વચ્ચે-વચ્ચે પાણી પીવાનું રાખવું જોઈએ.વર્કઆઉટ્સ પેહલા અથવા પછી પાણી ના પીવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,