નાનકડી દેખાતી ઇલાયચીના છે અનેક ગેરફાયદાઓ, સેવન કરતા પહેલા જાણી લો તમારે ખાવી જોઇએ કે નહિં…
ઈલાયચી જોવામાં જેટલી નાની હોય છે તેનાથી પણ કેટલાય ગણા વધુ ફાયદા તે પોતાના ગુણોમાં ધરાવે છે. ઈલાયચી ન માત્ર ખાવાના સ્વાદ માટે કામ લાગે છે પણ તે એક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઈલાયચી દરેક ભારતીયના ઘરમાં મળી જાય છે. ઈલાયચી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. નાની ઈલાયચીને સુંગધ અને સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવે છે. ઈલાયચી લગ્નજીવનને સુખી બનાવવામાં મદદગાર સાબિત થાય છે. ઈલાયચીમાં એક ખાસ પ્રકારનું પોષક તત્વ હોય છે. જે ઠંડીમાં તમારા શરીરને ગરમ અને ગરમીમાં તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
આ સાથે જ તે ચેતાતંતુઓના ડિસઓર્ડરને ઠીક કરવામાં પણ મદદગાર થાય છે. આ જ કારણે મગજ પણ શાંત રહે છે. મગજમાં શાંતિ અને લવલાઇફને સીધો જ સંબંધ હોય છે. જ્યારે મગજ શાંત હોય છે તો વ્યક્તિનું મગજ સારી રીતે કામ કરે છે. ભારતીય ખાનપાનનો એક મહત્વનો ભાગ છે એલાયચી. એલાયચી ફ્લેવર અને ખાવાનો સ્વાદ બદલી નાખે છે. એલાયચીમાં કેટલાય ઔષધીય ગુણો હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. ભારતીય મસાલામાં બે પ્રકારની એલાયચી જોવા મળે છે. એક મોટી એલાયચી અને બીજા નાની એલાયચી. નાની એલાયચી લીલા રંગની આવે છે. આ એલાયચીથી આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક તો છે જ. પણ સાથે સાથે થોડા નુકસાન થાય છે. ત્યારે આજે અમે આપને અહીં તેના નુકસાન વિશે જણાવા જઈ રહ્યા છીએ.
નુકશાનકારક અસર
નાની ઈલાયચીનું વધુ સેવન થી આતરડા માટે નુકશાનકારક હોય છે તથા અમુક લોકો ને ઈલાયચીને રાત્રે ન ખાવી જોઈએ. રાત્રે ઈલાયચી ખાવાથી કોઢ પણ થઇ જાય છે.
પ્રેગ્નેંસી
પ્રેગ્નેંસી દરમિયાન ખાનપાનને લઈને ખાસ સતર્કતા રાખવાની જરૂર છે. એલાયચી વધારે માત્રામાં ખાવાથી ગર્ભપાત થઈ શકે છે. પ્રેગ્નેંસી દરમિયાન જો એલાયચીનું સેવન કરવામાં આવે તો, તેના પહેલા એક વાર ડોક્ટર્સ સાથે મુલાકાત કરી જરૂરી સલાહ લઈ લેવી.
સ્ટોન
જેને સ્ટોનની સમસ્યા છે, તેના માટે એલાયચીનું સેવન કરવુ નુકસાદાયક થઈ પડે છે. એલાયચીના બીજ સ્ટોનને વધારે છે. એટલા માટે તેનું સેવન કરતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ લઈ લેવી.
એલર્જી
જે લોકોને એલાયચીથી એલર્જી છે, તેને તેનાથી દૂર રહેવુ જોઈએ. તેના સેવનથી શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા આવી શકે છે.
ખાંસી
એલાયચીનું વધારે માત્રામાં સેવન કરવાથી ખાંસીની સમસ્યા આવી શકે છે. એલાયચીની તાસિર ઠંડી હોય છે. જે ખાંસી કરાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત