દવાઓ લીધા વગર બધા રોગોને દૂર કરવા ફોલો કરો આ 7 ટિપ્સ, નહિં જવુ પડે ક્યારે પણ દવાખાને

આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રયાસ કરીએ છીએ.પરંતુ ઘણી વખત આપણે આપણી દિનચર્યામાં એવી ઘણી બાબતોની અવગણના કરીએ છીએ.જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.સ્વસ્થ રહેવા માટે તમારે દરરોજ કેટલીક ચીજોની કાળજી લેવી પડશે.તમારા દિવસની શરૂઆત હેલ્દી ખોરાક સાથે કરવાથી તમે ઘણા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.તમારા દિવસને સારો બનાવવા માટે,શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

જો તમે ફિટ છો,તો પછી તમે સરળતાથી આખો દિવસ પડકારોનો સામનો કરી શકો છો.જો તમે તમારા દિવસની શરૂઆત જ ઉતાવળથી કરશો,તો તમારા આખા દિવસમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.તેથી જ કહેવામાં આવે છે કે દરેક દિવસની શરૂઆત દિવસની યોજનાથી કરવી જોઈએ.આ કરવાથી તમારા બધા કામ સમયસર પૂર્ણ થઈ જશે અને તમે દિવસ દરમ્યાન સક્રિય અને સ્વસ્થ અનુભવશો.આજે અમે તમને આરોગ્યપ્રદ દિનચર્યા વિશે જણાવી રહ્યા છીએ,અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.તો ચાલો જાણીએ.

1- સવારે વેહલું ઉઠવું

image source

વહેલી સવારે ઉઠવાના ઘણા ફાયદાઓ છે.તમને તમારી પોતાની દિનચર્યા નક્કી કરવાનો સમય મળે છે.તમને કસરત અને નાસ્તા માટે પણ પૂરતો સમય મળે છે.તમે ઓફિસ પણ સમય પર પોહચી શકશો.તેથી,વ્યક્તિએ વહેલી સવારે ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ.તમારે સવારે જાગવાનો સમય સેટ કરવો જોઈએ અને સપ્તાહના અંતમાં પણ આ રૂટિનનું પાલન કરવું જોઈએ.આ ટેવથી તમને ઘણા શારીરિક અને માનસિક ફાયદા મળશે. તમને દિવસભર ઘણો સમય મળશે.જેની મદદથી તમે ઘણું કામ સંભાળી શકો છો.

2- નાસ્તો કરવાનું ભૂલશો નહીં

image source

સ્વસ્થ રહેવાની સારી આદતમાં સમયસર નાસ્તો કરવો જરૂરી છે.પરંતુ ઘણા લોકો સમયના અભાવે નાસ્તો કરતા નથી.આ આદતની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.જો તમારે લાંબા સમય સુધી ફીટ રહેવું હોય તો તમારે સવારે નાસ્તો કરવાની આદત બનાવવી જોઈએ.દિવસની સારી શરૂઆત માટે સવારે ઉર્જાની જરૂર હોય છે.જો તમે સવારનો નાસ્તો ન કરો તો તમને પેટમાં બળતરાનો અનુભવ થવા લાગે છે અને તેથી તમારો આખો દિવસ ખરાબ જાય છે.તેની અસર તમારા દૈનિક કાર્ય પર પણ જોઇ શકાય છે.તેથી જ તમારે સવારે તંદુરસ્ત નાસ્તો કરવો જ જોઇએ.

3- વધુ પાણી પીવું

image source

સ્વસ્થ રહેવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.પોતાને ફીટ રાખવા માટે વધુ પાણી પીવું એ ખુબ જ સારી ટેવ છે.તમારે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.તમારું શરીર પાણીથી ડિટોક્સ થાય છે.આ સિવાય તમારું શરીર બરાબર કામ કરે છે.જો તમે ઇચ્છો તો તમે પાણીમાં લીંબુ ઉમેરીને પી શકો છો.આ તમારા શરીરમાંથી ઝેર દૂર કરે છે.આ સિવાય તમે ફળો અથવા શાકભાજીમાંથી બનાવેલું જ્યુસ પણ પી શકો છો.

4- પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ લો

image source

પ્રોટીન એ આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે.પ્રોટીન આપણા હાડકાં,સ્નાયુઓ,ત્વચા અને વાળ માટે ખૂબ મહત્વનું છે.તમારે તમારા ખોરાકમાં પ્રોટીન શામેલ કરવું જોઈએ.આખા દિવસમાં કિલોગ્રામ વજન માંથી 0.8 ગ્રામ પ્રોટીન લો.ઉપરાંત,કાર્બોહાઇડ્રેટ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.કાર્બોહાઇડ્રેટ તમારા પેટને ભર્યું રાખે છે અને કોલેસ્ટરોલ પણ નિયંત્રિત કરે છે.તેથી સ્વસ્થ રહેવા માટે તમારે તમારા ખોરાકમાં ફળો,શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરવો આવશ્યક છે.

5- વર્કઆઉટ કરો

image source

તંદુરસ્ત રહેવા માટે વર્કઆઉટ પણ ખૂબ મહત્વનું છે.તમારે દરરોજ 30 થી 40 મિનિટ ચાલવું જોઈએ.પરંતુ ધ્યાનમાં રાખો કે શરીરમાં સતત એક પ્રકારની કસરત કરવાથી શરીરને તેની આદત પડી જાય છે.તેથી સમય સમય પર તમારા વર્કઆઉટ રૂટીન બદલતા રહો.તમે શરીરને ફીટ રાખવા માટે ઝુમ્બા,એરોબીક્સ,પિલાટ જેવી કસરતો પણ કરી શકો છો.આ તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને તમારું મન પણ ખુશ રાખે છે.

6- શરીરનું સાંભળો

image source

ઘણી વાર આપણે નિત્યક્રિયાનું પાલન કરીએ છીએ પણ આપણું શરીર તેને સ્વીકારતું નથી.તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા શરીરનું પણ સાંભળો.જો તમારું શરીર રોજિંદા નિયમોમાંથી એક દિવસ આરામ માંગે છે,તો તમારે એક દિવસ આરામ કરવો જરૂરી છે.જો તમને થાક લાગે છે,તો તે દિવસે કસરત ન કરો.જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે જ ખોરાક લો.પરંતુ આવી અનિયમિતતાને તમારી ટેવ ન બનાવો.

7- પૂરતી ઊંઘ લો

image source

સ્વસ્થ શરીર માટે,ખાવા-પીવાની સાથે સાથે સારી ઊંઘ પણ જરૂરી છે.તમારે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ કરવી જોઈએ. ઊંઘના અભાવથી વજનમાં વધારો,ચીડિયાપણું અને એકાગ્રતામાં ઘટાડો આવી જાય છે. તેથી રાત્રી દરમિયાન સારી ઊંઘ કરવાનો પ્રયાસ કરો.આનાથી તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત