તમારા ડાયટમાં સામેલ કરો આ ફ્રુટ, અને દૂર કરો શરીરમાં થતી પાણીની ઉણપને..
દ્રાક્ષના ફાયદા
ઉનાળાની ઋતુ શરુ થઈ ગઈ છે ત્યારે હવે આપે આ ગરમીમાં આપના શરીરનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત પડે છે. ઉનાળાની ગરમીમાં સ્વસ્થ રહેવા માટે ડોક્ટર્સ પણ વધુમાં વધુ ફળોનું સેવન કરવાની સલાહ આપે છે. ઉનાળાની ગરમીમાં આવતા ખાસ ફળ જેવા કે, તરબૂચ, દ્રાક્ષ, કેરી જેવા રસદાર ફળોનું સેવન ખાસ કરવું જોઈએ. આજે અમે આપને ઉનાળાની ગરમીમાં દ્રાક્ષનું સેવન કરવાથી શરીરને થતા કેટલાક ફાયદાઓ વિષે જણાવીશું. જો કે, દ્રાક્ષ ખાસ એટલા માટે કેમ કે, ઉનાળાની ઋતુમાં દ્રાક્ષ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે.:
દ્રાક્ષમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં મળી આવે છે. દ્રાક્ષનું સેવન કરવાથી શરીરને ભરપુર પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે જેનાથી આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવામાં મદદ કરે છે. જેથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.:
ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે ત્વચા ખુબ જ શુષ્ક થવા લાગે છે. દ્રાક્ષમાં ભરપુર પ્રમાણમાં એંટીઓક્સિડન્ટ મળી આવે છે જે આપણી ત્વચાને નિખારવામાં મદદગાર સાબિત થાય છે.
કેન્સરથી બચવામાં મદદગાર સાબિત થાય છે.:
દ્રાક્ષનું સેવન કરવાથી કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી બચાવી શકાય છે. દ્રાક્ષમાં એંટી કેન્સર ગુણ મળી આવે છે જે આપને કેન્સરથી બચવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.:
દ્રાક્ષમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે આપના શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. ઉનાળાની ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આપે રોજ નિયમિત રીતે દ્રાક્ષનું સેવન કરતા રહેવું જોઈએ.
બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.:
દ્રાક્ષનું નિયમિત રીતે સેવન કરવાથી આપના શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એક શોધ મુજબ દ્રાક્ષનું નિયમિતપણે સેવન કરવાથી ડાયાબીટીસના ખતરો ખુબ જ ઓછો થઈ જાય છે. આપે આપના શરીરને સ્વસ્થ રાખવા માટે દ્રાક્ષનું સેવન કરવું એ સૌથી સારો વિકલ્પ છે.
આંખો માટે ફાયદાકારક હોય છે.:
દ્રાક્ષનું સેવન કરવાથી આંખોની જોવાની ક્ષમતા મજબુત બનતી જાય છે. એક શોધમાં સામે આવ્યું છે કે, દ્રાક્ષમાં એક ખાસ પ્રકારનું કેમિકલ મળી આવે છે જે આપની આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે.
આપ દ્રાક્ષનું જ્યુસ પણ પી શકો છો.:
ટલીક વ્યક્તિઓને દ્રાક્ષને એમ જ ખાવી પસંદ હોતી નથી તો આવી વ્યક્તિઓ દ્રાક્ષનું જ્યુસ બનાવીને પણ પી શકે છે. દ્રાક્ષનું જ્યુસ પણ આપના સ્વાસ્થ્ય માટે એટલું લાભદાયક છે જેટલી દ્રાક્ષ લાભકારક હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત