લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, જાણો કઇ મોટી-મોટી બીમારીઓ સામે આપે છે રક્ષણ

લીલા પાંદળાવાળી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે, તેને કાચી ખાઈ શકાય છે અથવા કોઈપણ સ્વરૂપમાં રસોઈમાં ઉપયોગમાં લઇ શકાય છે. લીલી ડુંગળીમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 2, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને ઉચ્ચ માત્રામાં ફાઇબર શામેલ છે. તો ચાલો જાણીએ લીલી ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે ….

રોગપ્રતિકારક શક્તિ વધે છે

image source

લીલી ડુંગળી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે, શરદી, ઉધરસ અને એલર્જી ઠંડીમાં તીવ્ર બને છે, પરંતુ જો લીલી ડુંગળીને આહારમાં શામેલ કરવામાં આવે તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

અસ્થમા માં મુક્તિ મળે છે

image source

અસ્થમા ધરાવતા લોકો માટે લીલી ડુંગળીનું સેવન ફાયદાકારક છે, કારણ કે એન્ટિહિસ્ટેમાઈન્સ જેવા પૌષ્ટિક તત્વો લીલી ડુંગળીમાં જોવા મળે છે. જે અસ્થમાની સમસ્યાને દૂર કરે છે અને ફેફસાં માટે પણ ફાયદાકારક છે.

શરદી અને ફ્લૂથી બચાવવામાં મદદગાર છે

લીલો ડુંગળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણથી ભરપુર છે, જે વાયરલ તાવ અને ફલૂ સામે લડવામાં પણ અસરકારક છે, સાથે સાથે શરીરમાં કફની સમસ્યા પણ બંધ કરે છે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે

image source

લીલી ડુંગળીમાં ક્રોમિયમની માત્રાને લીધે, તે આપણા લોહીમાં ખાંડનું સ્તર નિયંત્રિત કરે છે, સાથે સાથે તે ગ્લુકોઝ સહનશક્તિમાં સુધારો કરે છે.

હૃદય માટે ફાયદાકારક

image source

લીલી ડુંગળીમાં જોવા મળતું વિટામિન સી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. જે હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટાડે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ ઓછું થાય છે.

પાચનમાં ફાયદાકારક

લીલી ડુંગળી પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે. તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ભૂખમાં પણ વધારો કરે છે.

કેન્સરનું જોખમ ઓછું કરે

image source

લીલી ડુંગળીમાં મળતી સલ્ફરની માત્રા વધારે હોવાને કારણે તે કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ડુંગળીમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે એક પ્રકારનું પ્રવાહી કોલોઇડલ કાર્બોહાઇડ્રેટ છે જે પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

image source

વિટામિન એ ની પુષ્કળ માત્રાને લીધે લીલી ડુંગળી આંખોનો પ્રકાશ વધારે છે અને આંખોની કોઈપણ પ્રકારની સમસ્યાથી રાહત આપે છે. તે આંખોની આસપાસની કરચલીઓ પણ દૂર કરે છે.

કોલેસ્ટરોલને નિયંત્રિત કરે

image source

મોટાભાગના ચિકિત્સકો કોલેસ્ટરોલ ઘટાડવા માટે લીલી ડુંગળીની શાક ખાવાની ભલામણ કરે છે, કેમ કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ તેમજ વજન નિયંત્રણમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત