Iron and Calcium Deficiency: આયર્નની ઉણપ અને હાડકાં મજબૂત કરવા માટે શું ખાવું જોઈએ

આયર્નની ઉણપથી લોહી ઓછું બને છે અને કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળાં પડે છે. FSSAI એ 12 ખોરાક જણાવ્યા છે, જે ખોરાક ખાવાથી આયર્ન અને કેલ્શિયમ મળે છે.

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને બધા અવયવો યોગ્ય રીતે કાર્ય કરવા માટે પોષક તત્વોની ખૂબ જ જરૂર હોય છે. આપણને આ પોષક તત્વો ખોરાક અને પીણાંમાંથી મળે છે. પરંતુ આજકાલ લોકોએ ખાનપાન માટે બજારમાં બનેલી ચીજો વધુ ખાવાની શરૂ કરી છે, તેથી તેમના શરીરમાં પૂરતા પોષક તત્વો મળતા નથી. આયર્ન અને કેલ્શિયમ એ એવા બે તત્વો છે જેની આપણા શરીરને દરરોજ ઓછી માત્રામાં જરૂર હોય છે. જ્યારે આયર્ન શરીરમાં લોહી વધારે છે, ત્યારે કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. આ બંને પોષક તત્ત્વોનો સ્ત્રીઓમાં સૌથી વધુ અભાવ જોવા મળે છે. આનું કારણ એ છે કે સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સમાંથી (માસિક સ્ત્રાવ) પસાર થવું પડે છે, જેના કારણે તેમના શરીરમાં લોહીની ઉણપનું પ્રમાણ વધુ રહે છે.

image source

ભારત સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આયર્ન અને કેલ્શિયમની ઉણપને પહોંચી વળવા માટે ચોક્કસ આહારની સૂચિ બહાર પાડી છે, જેને ખાવાથી શરીરમાં બંને ખનિજોની ઉણપની પુરી કરી શકાય છે. તમારે તમારા દૈનિક ખાનપાનમાં આ ખોરાકનો સમાવેશ જરૂર કરવો જોઈએ.

કેલ્શિયમની ઉણપ પુરી કરતા આહાર:

image source

આપણા હાડકાં કેલ્શિયમથી બનેલા હોય છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં કેલ્શિયમ ઓછું હોય, તો તેનું શરીર હાડકાંમાંથી કેલ્શિયમ લેવાનું શરૂ કરે છે અને તેનો ઉપયોગ શરીરના કાર્યોમાં કરવા લાગે છે. આને કારણે વ્યક્તિના હાડકાં નબળા થવા લાગે છે. જો તમે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરવા માંગતા હો, તો તમારે FSSAI અનુસાર આ 6 ખોરાકનું સેવન કરવું જોઈએ.

1. ફાલસા (Phalsa)

image source

2. સોયાબીન (Soyabean)

3. ગવારના બીજ (Cluster Beans)

4. કુલ્થી (Horse Gram)

5. અમરંથના પાન (Amaranth Leaves)

6. સરસવના પાન (Mustard Leaves)

image source

આયર્નની ઉણપ પુરી કરતા આહાર:

image source

આયર્ન એ પણ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જેની ઉણપને કારણે શરીરમાં લોહીનો અભાવ સર્જાય છે, ઓછા લોહીને લીધે, શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો હોય છે. આ સિવાય શરીરમાં નબળાઇ, છાતીમાં દુખાવો, ધબકારાની અનિયમિતતા, ત્વચાનું પીળુ પડવું વગેરે આયર્નની ઉણપની સમસ્યાઓ સૂચવે છે. ભારતીય મહિલાઓમાં આયર્નની ઉણપ ખૂબ વધારે જોવા મળે છે, તેથી FSSAI અનુસાર, આયર્નની ઉણપને ટાળવા માટે, તમારે આ 6 આહાર જરૂર ખાવા જોઈએ.

7. બધા પ્રકારની દાળ (Lentils)

8. લીલા પાંદડાવાળી શાકભાજી (Green Leafy Vegetables)

image source

9. બદામ અને કિસમિસ (Nuts and Raisins)

10. સોયાબીન (Soyabean)

11. ફોર્ટિફાઇડ ચોખા (Fortified Rice)

12. ફોર્ટિફાઇડ લોટ (Fortified Flour)

image source

શાકાહારી ખોરાક શરીર માટે ફાયદાકારક છે:

image source

FSSAI એ તાજેતરમાં જ એક અભિયાન શરૂ કર્યું હતું, જેને તેઓએ EAT Right India નામ આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત, FSSAI લોકોને યોગ્ય ખાનપાન સંબંધિત અધિકૃત માહિતી શેર કરે છે, જેથી લોકો તેમના ખોરાકને યોગ્ય રાખે અને સ્વસ્થ રહે. આ અભિયાન અંતર્ગત, FSSAI એ કહ્યું છે કે શાકાહારી ખોરાક શરીર માટે ફાયદાકારક છે. FSSAI અનુસાર, શાકાહારી આહાર (Plant Rich Diet) જીવનશૈલી અપનાવવાથી શરીરને આ 5 ફાયદા મળે છે.

– શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું હોય છે.

– સ્ટ્રોક અને જાડાપણું થવાનું જોખમ ઓછું રહે છે.

– ડાયાબિટીઝનું જોખમ ઓછું છે.

image source

– ફાયબર સારી માત્રામાં મળી રહી છે.

– કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઓછા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત