આ જ્યૂસ પીવાના એક નહિં પણ છે અઢળક ફાયદાઓ, કમળાથી લઇને આ અનેક બીમારીઓ સામે લડવાની ધરાવે છે તાકાત
મિત્રો, ગરમીની ઋતુની શરૂ થતા જ બજારમા તમને જ્યા જુઓ ત્યા શેરડીના રસના સ્ટોલ જોવા મળતા હશે અને ક્યારેક જો ઉનાળાની આ કાળઝાળ ગરમી અને ખરા તડકામા પણ બહાર જવાનુ થયું હોય અને જો તમને વધારે પડતી તરસ લાગે તો આ આ સ્ટોલ જોઈને આપણે શેરડીના રસનુ સેવન કરવા બેસી જઈએ છીએ પરંતુ, શું તમને આ ફળના અઢળક સ્વાસ્થ્ય ગુણોની ખબર છે? જો ના હોય તો આજે જ જાણી લો.
કમળાની સમસ્યા દૂર થાય :
જો કોઈ વ્યક્તિ કમળાની સમસ્યાથી પીડાતો હોય તો દાકતર તેને ચોક્કસથી શેરડીનો રસ પીવાનુ કહેતા હોય છે. આ એક પ્રાકૃતિક ઔષધ છે. આ બીમારીમા માણસની ચામડી પીળી પડી જાય છે અને તેના રક્તમા પણ માત્રા વધી જાય છે. લીવર ઓછુ કામ કરે છે. આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે બે ગ્લાસ શેરડીના રસમા લીંબુ અને નમક ઉમેરીને પી જવાનું.
ચેપની સમસ્યા દૂર થાય :
જો અનેકવિધ પ્રકારના ચેપ જેમકે, ડાયેરિયા, યુરિનનો ચેપ, સેક્સ્યુલી ટ્રાન્સમીટેડ ડિસીઝ અથવા તો પાચનને લગતા ચેપમા શેરડીનો રસ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
કિડની સ્ટોનની સમસ્યા દૂર થાય :
જો તમે કિડનીમા રહેલી પથરીને બહાર કાઢવા ઈચ્છતા હોવ તો તેના માટે પણ આ ઉપયોગી સાબિત થાય છે. ખુબ જ પ્રમાણમા પાણીની સાથે તમે ગરમીમા શેરડીનો રસ પણ લઈ શકો છો. તે તમારી પથરીને તોડીને કિડનીમાંથી બહાર કાઢવામા સહાયરૂપ સાબિત થાય છે.
ડાયાબિટીસની સમસ્યા દૂર થાય :
શેરડીનો રસ ડાયાબિટીસ માટે પણ ખુબ જ ઉપયોગી છે. શેરડીના રસમાં સુગર હોતી નથી. આથી જો તમે વજન ઉતરી રહ્યા હોય તો પણ તમે નેચરલ સુગર માટે શેરડીનો રસ ઉપયોગમાં લઈ શકો છો. શેરડીનો રસ લોહીમાં રહેલા ગ્લુકોઝની માત્રાને જાણવી રાખે છે.
ભરપૂર માત્રામા વિટામીન મળી રહે :
આ રસમા તમને ભરપૂર માત્રામા વિટામીન અને મીનરલ્સ મળી રહે છે. જે તમારા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. આ રસમા તમને ફોસ્ફરસ, આર્યન, પોટેશિયમ, કેલશિયમ અને મેગનેશિયમ પુષ્કળ માત્રામા મળી રહે છે. અમુક સંશોધનો પરથી પણ એ વાત સાબિત થઈ છે. તે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે તો એકવાર અવશ્ય ટ્રાય કરજો.
શરદી, તાવ અને ગળાના દુ:ખાવામા દૂર કરવામા ખુબ જ લાભદાયી :
જો તમે એવુ માનતા હોવ કે, શરદી અને ગળાના દુ:ખાવાના કારણે શેરડીનો રસ તમારા માટે ખુબ જ નુકસાન સાબિત થઇ શકે છે. તો આ તમારો ભ્રમ છે. આ બધી જ બિમારીઓને દૂર કરવા માટે શેરડીનો રસ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત