કીડનીને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં આ પાંચ વસ્તુઓ ઉમેરવી છે ખુબ જ જરૂરી, વાંચો આ લેખ અને જાણો કઈ છે આ વસ્તુઓ…?

આજના સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત ની સાથે પૌષ્ટિક આહાર પણ જરૂરી છે. હેલ્ધી ડાયટ માત્ર પોષક તત્વો ની ઉણપને દૂર નથી કરતી, સાથે જ શરીર ને રોગો થી પણ બચાવે છે. કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે જે શરીરના ઝેરી પદાર્થ ને બહાર કાઢે છે. સ્વસ્થ રહેવાની સાથે કિડની ને પણ યોગ્ય રીતે કામ કરતી રાખો. આ બાબતો પર પણ ધ્યાનમાં દેવું ખુબ મહત્વપૂર્ણ છે.

image source

નબળા આહાર થી કિડ ની ફેલ થઈ શકે છે. તેનાથી પથરી થી લઈને કેન્સર સુધીની કિડની ની સમસ્યા થઈ શકે છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણા આહાર પર ધ્યાન આપતા નથી જે માત્ર શરીર માટે જ નહીં પરંતુ કિડની માટે પણ જોખમી છે. કિડની બરાબર કામ કરે, તે માટે તમારા આહારમાં તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરો.

પાલક

image source

લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન એ, સી, કે, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ નું પ્રમાણ વધારે હોય છે. પાલકમાં બીટા કેરોટીન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કિડની ને સ્વસ્થ રાખવા માટે આહારમાં પાલક નો સમાવેશ કરો.

અનાનસ

image soucre

આહારમાં અનાનસ નો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તેમાં ફાઇબર નું પ્રમાણ વધારે હોય છે, જે કિડની ના રોગોને રોકવામાં મદદ કરે છે. તે મેંગેનીઝ, વિટામિન સી થી સમૃદ્ધ છે, જે એન્ઝાઇમ્સ ની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

કેપ્સિકમ

image soucre

કેપ્સિકમ માં એન્ટિ ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં નોંધપાત્ર માત્રામાં વિટામિન સી હોય છે. કિડની ને સારી સ્થિતિમાં રાખવા માટે કેપ્સિકમ ને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ.

કોબીજ

કોબીજમાં વિટામિન સી, ફોલેટ અને ફાઇબર નો મુખ્ય સ્ત્રોત છે. તે શરીર ને સ્વસ્થ રાખે છે તેમજ ઝેરી પદાર્થો ને બહાર કાઢે છે. કોબીજ કિડની ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં સોડિયમ, પોટેશિયમ અથવા ફોસ્ફરસ નું પ્રમાણ વધારે નથી જે કિડની પર કોઈ દબાણ પેદા કરતું નથી.

લસણ

image soucre

લસણમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછું હોય છે, જે કિડની રોગના દર્દીઓ માટે સારું છે. આહારમાં લસણ નું સેવન કરવાથી આપણી કિડની સ્વસ્થ રહે છે.

ડુંગળી

image soucre

ડુંગળીનો ઉપયોગ લગભગ તમામ પ્રકાર ની વાનગીઓમાં થાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ્સ કિડની ને રોગો થી દૂર રાખવામાં મદદ કરે છે.

દ્રાક્ષ

image soucre

દ્રાક્ષ માં ફ્લેવોનોઇડ્સ ગુણધર્મો હોય છે. તે બળતરા ને રોકવામાં મદદ કરે છે. કિડની ને સ્વસ્થ રાખવા માટે તમે દ્રાક્ષનું સેવન પણ કરી શકો છો.