જાણો આ આર્યુવેદિક ઉપાયો, અને કરો કિડની અને લિવરને ડિટોક્સ
કોરોના વાયરસ માણસની રોગપ્રતિકારક શક્તિને કમજોર કરીને તેમજ ફેફસા ખરાબ કરીને એમને મોતના મુખમાં લઇ જાય છે. પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે કે કોરોના ફેફસાં ઉપરાંત હૃદય, કિડની, આંતરડાની નહેર અને યકૃત સહિત શરીરના ઘણા અવયવોને પણ ગંભીર પણે નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં મોટા પ્રમાણમાં, સાયટોકિન સ્ટોર્મ આ અંગોને નુકસાન પહોચાડવામાં જવાબદાર ગણાય છે.
કોરોના મહામારીના આ સમયમાં આજે અમે આપને આવી જ કેટલીક આયુર્વેદિક ઔષધિઓ વિશે જણાવીશું, જે કિડની અને યકૃત સાથે ફેફસાંને પણ ડિટોક્સ કરવામાં સહાયક બનશે.
પલાસ
પલાસ એક પ્રકારનું વૃક્ષ છે. જે વૃક્ષના પાંદડા, મૂળ અને ફૂલોને ઔષધની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. એનો ઉકાળો પીવાથી કિડની અને યકૃતને ડિટોક્સ (સાફ) કરવામાં મદદ મળે છે.
ધાણા (કોથમીર)
સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં કોથમીરનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે થતો હોય છે. પણ તે સ્વાદ વધારવા સાથે જ કિડની અને લીવરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ સહાયક સિદ્ધ છે.
પુનર્નવા
આયુર્વેદ ગુણધર્મોથી ભરપુર પુનર્નાવનો ઉકાળો કિડની અને યકૃતને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ સાથે જ એમાં રહેલા એંટી-ઈમ્ફ્લામેટ્રી ગુણો શરીરને અનેક રોગથી બચાવે છે. આયુર્વેદમાં પણ આનો ઉલ્લેખ છે.
ત્રિફલા
ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત, ત્રિફળા કિડની અને યકૃતને મજબૂત કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત એમાં રહેલ કુદરતી ગુણો વજન ઘટાડવામાં પણ ખૂબ જ સહાયક નીવડે છે.
હોર્સટેલ
હોર્સટેલમાં આલ્કલોઇડ્સ હોય છે, જે કિડની અને યકૃતમાં રહેલા ઝેરને બહાર કાઢવામાં સહાયક સિદ્ધ થાય છે. માત્ર એટલું જ નહી પણ હોર્સટેલ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, જે અનેક રોગો સામે તમને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.
ગોક્ષુરા
આ ઝાડની છાલનો ઉકાળો બનાવીને પીવાથી માત્ર કિડની અને યકૃત ડિટોક્સ થાય છે, પણ યુટીઆઈ માટેની આ સૌથી સારી દવા છે. આ સિવાય ગોક્ષુરાના ઉપયોગથી કિડની સ્ટોન પણ બહાર આવી જાય છે. આ સાથે તે લોઈનું પરિભ્રમણ વધારવામાં પણ સહાયક નીવડે છે.
હળદર
હળદળમાં અનેક રોગોથી લડવાની શક્તિ રહેલી છે. એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મવાળી હળદર કિડનીના પત્થરો, કિડનીમાં આવતો સોજો, ચેપ, કિડની સિસ્ટમાં ખૂબ જ ફાયદાકારક છે. હળદળનો ઉપયોગ ખોરાકમાં કરવા ઉપરાંત, તમે એને દુધમાં અથવા ઉકાળો બનાવીને પણ પી શકો છો.
ગુડુચી (ગીલોય)
તબીબો તંદુરસ્ત રહેવા માટે ગુડુચી (ગિલોય) ખાવા અથવા તેનો રસ લેવાની પણ સલાહ આપે છે. ગીલોય લોહીને સાફ કરવાનું કામ કરે છે. તેમજ તેનાથી બોડી પણ ડિટોક્સ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત