લસણ ખાવાથી હેલ્થને એક નહિં પણ થાય છે આ અઢળક ફાયદાઓ, જાણો તમે પણ
કેટલાય પ્રકારના સંક્રમણ થી લસણ થી ફાયદો થાય છે.
લસણ નો ઉપયોગ દરેક ઘરનાં રસોડા માં ખોરાક ને સ્વાદિષ્ટ બનવા માટે કરવા માટે થાય છે. એના થી ખાલી સ્વાદ જ નથી મળતો પરંતુ એ સ્વાસ્થ્ય માટે ફાયદમંદ છે.
દરેક પ્રકારના શાક કઠોળ માં ઉપયોગ થાય છે જેના ફાયદા અનેક છે.લસણ આરોગ્ય માટે ગુણકારી છે. જો તમને ફાયદો કહીશ ત્યારે તમે તેનો ઉપયોગ કરવા લાગશો. કેટલાય સંક્રમણ થી બચાવે છે. જો સંક્રમણ થયું હોય તો તેને દૂર પણ કરે છે.
ચાલો વિસ્તારમાં જાણીશું.
હાલ ના એક રિસર્ચ માં સાબિત થયું છે કે રોગો સામે લડવા માં મદદરૂપ સાબીત થયું છે.
તેમાં સાબિત થયું છે કે ઈજોઈન માત્રા મળે છે. જેથી એન્ટીબયોટિક નું કામ કરે છે.
શોધ કરેલા લોકો નું માનવું છે કે લસણ માં બેક્ટેરિયા ની સંચારપ્રાણાલી માં મહત્વપૂર્ણ ઘટકો ને દૂર કરવા માટે સક્ષમ છે. સિસીટક ફાઈબ્રોસીસ જેવા સંક્રમણ લસણ દૂર કરે છે
બેક્ટેરિયા સ્ટેફીલોકોકકસ અને ઔરરસ્યુડોમોસ એરોગેનોસ પર અધ્યયન કર્યું છે તો જાણવા મળ્યું લસણ આ બેક્ટેરિયા સામે લડવાની તાકાત છે.
આ તો થઈ રિસર્ચ ની વાત પરંતુ આપણા આયુર્વેદ માં લસણ ને આશીર્વાદ રૂપ છે. આવું સાંભળ્યું છે કે પહેલા ના જમાના મા નાના બાળકો શરદી, ખાંસી, તાવ નિમોનિયા જેવી બીમારી થાય ત્યારે એને લસણ ની કળી ને ગળા માં માળા પહેરાવા માં આવતી હતી. જેથી બાળક ને સંક્રમણ થી જલ્દી રાહત મળે છે
એને જો મોટા લોકો ને આવી સમસ્યા થાય તો આ લસણ ની કળીઓ દેશી ઘી માં સાંતળી ને ખવડાવવા મા આવે છે, જેથી જલ્દી રાહત મળે છે. કારણકે લસણ મા એન્ટીબાયોટિક નું ગુણ છે જેથી સંક્રમણ થી રાહત મળે છે.
લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ. ખીલ પર લસણનો કટકો લઈ તેની પર ધીરે-ધીરે હળવા હાથે ઘસવાથી પિંપલ બહુ જલ્દી બેસી જાય છે.
લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે. લસણની એન્ટી-ક્લોટિંગ પ્રોપર્ટી, લોહી કોશિકાઓમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે.
કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી.