આયુર્વેદિક દૂધથી વધારો તમારા ચહેરાનો નિખાર અને રહો રોગ મુક્ત, વાંચો કેવી રીતે ઘરે બનાવશો આ દૂધ

રોગો સામે લડવાની શરીરની ક્ષમતાને રોગ પ્રતિકારક શક્તિ કહે છે.આ તમારા શરીરની એક વિશેષ પ્રક્રિયા છે, જેમાં તમારું શરીર બહારથી આવતા કોઈપણ વાયરસ અને બેક્ટેરિયા સામે લડીને તમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.આ પ્રક્રિયાને રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે.આજની જીવનશૈલી અને ખોરાકને કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ પહેલા કરતા ઘણી નબળી પડી ગઈ છે.

image source

ઇમ્યુનીટી વધારવા માટે,આયુર્વેદમાં એક ખાસ રીતના દૂધ વિષે જણાવવામાં આવ્યું છે.સવારે તે દૂધ પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે તમામ પ્રકારના વાયરસ અને બીમારીઓથી પોતાને બચાવી શકો છો,તો ચાલો હવે અમે તમને આ દૂધ પીવાના ફાયદાઓ અને તેને બનાવવાની સરળ રીત વિશે જણાવીએ. .

આ આયુર્વેદ દૂધ ઓજસ વધારે છે

image source

અંગ્રેજીમાં ‘ઓજસ’ નો અર્થ રેડિયન એટલે કે તેજ થાય છે.કોઈપણ વ્યક્તિના ચહેરા પર તેજ હોવું એ,એ દર્શાવે છે કે એ વ્યક્તિ સ્વસ્થ અને ખુશ છે.કોઈ પણ વ્યક્તિના ચહેરા પર તેજ ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય.આ ખાસ દૂધ તે જ કાર્ય કરે છે.આ વિશેષ દૂધ શરીરની પ્રતિરક્ષા વધારે છે.

-યાદશક્તિમાં વધારો થાય છે, જ શીખવાની ક્ષમતામાં વધારો કરે છે.

-તે પુરુષોની જાતીય ક્ષમતામાં વધારો કરે છે.આ સાથે,વીર્યની સંખ્યા પણ વધે છે,જે વંધ્યત્વ ઘટાડે છે.

– મહિલાઓના હાડકાંની નબળાઇ અને પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ દૂર કરે છે.

image source

-તે ત્વચાનો ગ્લો અને નિખાર વધારવામાં મદદગાર છે.

-તે ત્વચાને ટાઈટ રાખે છે,જેથી વૃદ્ધત્વના સંકેતો જલ્દી દેખાશે નહીં.

-તે શરીરમાં બ્લડ શુગર,બ્લડ પ્રેશર,બ્લડ પીએચ મૂલ્ય,કોલેસ્ટરોલ વગેરેને નિયંત્રણમાં રાખે છે,જેનાથી ડાયાબિટીઝ,હાઈ બ્લડ પ્રેશર,હાર્ટ સ્ટ્રોક,બ્લડ રોગો,કેન્સર,પેટની સમસ્યાઓ,કિડનીની તકલીફ,લીવરની સમસ્યાઓ દૂર રહે છે.

1 ગ્લાસ આયુર્વેદિક દૂધ બનાવવા માટેની સામગ્રી-

Badam Milk Shake, How to Make Badam Milk Shake, Almond MilkShake
image source

10 બદામ

3 ખજૂર

ગાયનું દૂધ 1 ગ્લાસ

4 ચપટી હળદર,

2 ચપટી તજ અને 1 ચપટી એલચી પાવડર

1 ચમચી દેશી ઘી

1 ચમચી મધ

આયુર્વેદિક ફાયદાકારક દૂધ બનાવવાની રીત આ પ્રમાણે છે

image source

આ દૂધ બનાવવા માટે રાત્રે 10 બદામ અને 3 ખજૂર પાણીમાં પલાળી રાખો.જો ખજૂર તાજા હોય તો તેને પલાળવા નહીં,તેનો સીધો ઉપયોગ કરો.સવારે બદામની છાલ કાઢો અને ખજૂરમાંથી બી કાઢો,અને પછી આ બંનેને પીસી લો.ત્યારબાદ આ પેસ્ટને થોડા ગરમ દૂધમાં મિક્સ કરો અને પછી તેમાં હળદર,તજ અને એલચીનો ભૂકો નાખો.હવે તેમાં 1 ચમચી ઘી નાખો અને તેને સારી રીતે મિક્સ કરો અને સવારે ખાલી પેટ પર પીવો.

આ બાબતોનું ધ્યાન રાખો

આ દૂધ તમારે સવારે ખાલી પેટે જ પીવું પડશે.જો તમે ઇચ્છો તો,તમે રાત્રે સૂતા પહેલા પણ આ દૂધ પી શકો છો,પરંતુ રાત્રે તમારે તમારા ભોજન અને દૂધ વચ્ચે 2 કલાકનું અંતર રાખવું પડશે.

image source

– સવારે દૂધ પીધા પછી 40 મિનિટ કંઈપણ ન ખાશો.

– તજનો સ્વાદ ગરમ હોય છે,તેથી દૂધમાં 2 ચપટી જ તજ ઉમેરો.

-જો તમે ડાયાબિટીઝના દર્દી છો,તો કૃપા કરીને આ દૂધ પીતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લો.

image source

-બાકી આ દૂધ બધા લોકો માટે લાભદાયક,સુરક્ષિત અને અત્યંત ફાયદાકારક છે.દરેક ઉંમરના લોકો આ દૂધ પી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત