જાણો મોતિયાબિંદ વિશેના કારણ, લક્ષણ અને ઉપચાર

જો તમને દૂર અથવા નજીકનું કંઈપણ ઓછું દેખાય, ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલી અનુભવો છો અથવા તમે કોઈ અન્ય વ્યક્તિના ચહેરાના હાવભાવ વાંચી શકતા નથી, તો પછી તેનો અર્થ એ છે કે તમારી આંખોમાં મોતિયાબિંદ વિકસી રહ્યો છે. ભારતમાં દર વર્ષે મોતિયાબિંદના 20 લાખ નવા કેસ આવે છે. મોતિયાબિંદ આપણા દેશમાં 62.6 ટકા અંધત્વનું કારણ છે. પરંતુ અત્યાધુનિક તકનીકોએ મોતિયાબિંદના ઓપરેશનને ખૂબ જ સરળ અને અસરકારક બનાવ્યું છે. એક સંશોધન મુજબ 2003 થી ભારતમાં મોતિયાબિંદના કારણે થતું અંધત્વ 25 ટકા ઘટ્યું છે. તેનું કારણ મોતિયાબિંદ અંગે ઓપરેશનની જન જાગૃતિ છે.

જાણો મોતિયાબિંદ એટલે શું ?

image source

લેન્સ આંખનો સ્પષ્ટ ભાગ છે જે પ્રકાશ અથવા છબીને રેટિના પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. રેટિના એ આંખના પાછળના ભાગ પર પ્રકાશ સંવેદનશીલ પેશી છે સામાન્ય આંખોમાં, પ્રકાશ પારદર્શક લેન્સ રેટિના પાસે જાય છે. એકવાર તે રેટિના પર પહોંચ્યા પછી, ત્યારબાદ તે પ્રકાશમાં બદલાય છે અને મગજ સુધી પોહ્ચે છે.

રેટિના તીક્ષ્ણ છબી મેળવવા માટે લેન્સ સ્પષ્ટ હોવા આવશ્યક છે. જ્યારે લેન્સ અંધકારમય બને છે, ત્યારે પ્રકાશ સ્પષ્ટ રીતે લેન્સમાંથી પસાર થઈ શકતો નથી, જેના કારણે તમે જુઓ ત્યારે છબી અસ્પષ્ટ દેખાય છે. આનાથી દ્રષ્ટિ અવરોધાય છે, જેને મોતિયાબિંદ અથવા સફેદ મોતિયાબિંદ કહે છે.

image source

મોતિયાબિંદથી પીડાતા લોકોને દૃષ્ટિની અસ્પષ્ટતાને કારણે વાંચન, દૃષ્ટિનું કાર્ય, કાર ચલાવવાની ( એ પણ ખાસ કરીને રાત્રે ) સમસ્યા થાય છે.

મોતિયાબિંદ થવાનું કારણ

મોતિયાબિંદ કેમ થાય છે તેના કારણો સ્પષ્ટ રીતે જાણી શકાયા નથી, પરંતુ કેટલાક એવા પરિબળો છે જે મોતિયાબિંદના જોખમને વધારે છે;

વધતી ઉમર

ડાયાબિટીસ

image source

અતિશય આલ્કોહોલનું સેવન

સૂર્યપ્રકાશની વધુ પડતી ગરમી

પરિવારમાં કોઈને મોતિયાબિંદ હોવું

હાઈ બ્લડ પ્રેશર

image source

જાડાપણું

આંખોમાં ઈજા અથવા સોજો

અગાઉનું આંખનું ઓપરેશન

કાર્ટોસ્ટેરોઇડ મોડીકેશનનો લાંબા સમય સુધી ઉપયોગ

ધૂમ્રપાન

image source

મોતિયાબિંદના લક્ષણો

મોટાભાગના મોતિયાબિંદ ધીરે ધીરે વિકસે છે અને દ્રષ્ટિની શરૂઆતમાં અસર થતી નથી, પરંતુ સમય જતાં તે તમારી જોવાની ક્ષમતા પર અસર કરે છે. આને કારણે વ્યક્તિને તેની સામાન્ય દૈનિક પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બને છે.

મોતિયાબિંદના મુખ્ય લક્ષણો:

અસ્પષ્ટ દ્રષ્ટિ અથવા અસ્પષ્ટતા

વૃદ્ધોમાં નજીક જોવાની ક્ષમતામાં સતત વધારો

રંગો જોવાની ક્ષમતામાં પરિવર્તન, કારણ કે લેન્સ ફિલ્ટરની જેમ કાર્ય કરે છે

રાત્રે વાહન ચલાવવામાં મુશ્કેલી, જેમ કે સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખોની રોશની પર અસર થવું

દિવસમાં પણ આંખોમાં તકલીફ થવી

image source

બે નજર થવી

ચશ્માના નંબરમાં અચાનક ફેરફાર

મોતિયાબિંદ રોકવા માટેના ઉપાય.

જો કે, મોતિયાબિંદને કેવી રીતે રોકી શકાય છે અથવા તેનો વિકાસ કેવી રીતે ધીમો પડી શકે છે તે વિશે કોઈ સાબિત તથ્યો નથી. ડોકટરો માને છે કે ઘણી વ્યૂહરચનાઓ મોતિયાબિંદના નિવારણમાં મદદરૂપ થઈ શકે છે, આ સહિત:

40 વર્ષ પછી આંખની નિયમિત તપાસ કરાવો

image source

સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો મોતિયા વિકસાવવામાં મદદ કરી શકે છે. જ્યારે પણ તડકો આવે ત્યારે સનગ્લાસ પહેરો તે યુવી કિરણોને અવરોધે છે.
જો તમને ડાયાબિટીઝ અથવા અન્ય આરોગ્ય સમસ્યાઓ છે જે મોતિયાના જોખમને વધારે છે, તો તેમની યોગ્ય સારવાર કરો.

તમારું વજન સામાન્ય રાખો

તમારા આહારમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરો. તેમાં ઘણાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ધૂમ્રપાન છોડો અને આલ્કોહોલનું સેવન છોડી દો

મોતિયાબિંદની સારવાર

image source

જ્યારે તમે ચશ્મા અથવા લેન્સથી સ્પષ્ટ નથી દેખાતું ત્યારે ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે તમારા જીવનની ગુણવત્તાને મોતિયાબિંદના કારણે અસર થવા લાગે છે ત્યારે જ ડોકટરો દ્વારા ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. જો તમને ડાયાબીટિઝની સમસ્યા છે તો આવા લક્ષણો દેખાવા પર જરા પણ સમય ના બગાડો અને તરત જ ડોક્ટરની સલાહ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત