જો તમે પેટની ચરબીથી પરેશાન છો, તો દરરોજ આ રીતે તજ નું સેવન કરો, જાણો ઘણા આશ્ચર્યજનક ફાયદા..

રસોડામાં હાજર મસાલાઓમાં તજ એક છે જેનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તજ ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તજ ને ઔષધીય ગુણો થી સમૃદ્ધ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તજમાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ, ફાઇબર, મેંગેનીઝ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન કે, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 ના ગુણધર્મો છે, જે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે.

image source

વાસ્તવમાં તજ ની તાસીર ગરમ હોય છે તેથી તેનો ઉપયોગ વધુ માત્રામાં ન કરવો હિતાવહ છે. જો તજ ની ચાનું સેવન કરીને ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. તો ચાલો આજે અમે તમને તજના ફાયદા જણાવીએ.

તજના ફાયદા :

પાચન :

image source

તજ ને પાચન માટે સારું માનવામાં આવે છે. તજ ના સેવન થી પેટમાં થતો ગેસ, કબજિયાત દૂર થઈ શકે છે. દૂધ સાથે તજ નું સેવન કરવાથી પાચનતંત્ર માં સુધારો થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ :

image source

જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય અને તમે તેને ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો તમે તજ નો ઉપયોગ કરી શકો છો. કોલેસ્ટેરોલ ને તજના સેવનથી નિયંત્રિત કરી શકાય છે.

સ્થૂળતા :

જો તમે સ્થૂળતા થી પીડાઈ રહ્યા છો, અને વજન ઘટાડવા માંગો છો તો દરરોજ સવારે તજ ની ચાનું સેવન કરો. આનાથી વજન સરળતાથી ઓછું થઈ શકે છે.

ડાયાબિટીસ :

image source

ડાયાબિટીસ ના દર્દીઓને ઘણી વસ્તુઓ ખાવા-પીવાની મનાઈ છે. પરંતુ શું તમે જાણો છો કે તજ ને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ? તજના પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસ ને નિયંત્રિત કરી શકાય છે.

થાક દૂર કરે છે :

image source

જો તમને આખો દિવસ થાક લાગે છે, તેમજ જાતીય સબંધ દરમિયાન તમને નબળાઇ લાગે છે. આવી સ્થિતિમાં, તમારે સવારે અને સાંજે દૂધ સાથે બે ગ્રામ તજ પાવડરનું સેવન કરવું જોઈએ. આ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે અને જાતીય શક્તિમાં પણ વધારો કરશે.

વાયરલ ફલૂ દૂર થાય છે :

image source

શરદી, ઉધરસ અથવા ગળાના દુખાવા માટે પણ તજ નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારમાં તજ ને પીસીને એક ચમચી મધ સાથે મિક્સ કરો અને એક ચપટી ખાઓ. આ ઉપાયથી શરદીમાં રાહત મળે છે આ સિવાય તમે ગરમ અથવા નવશેકા પાણીમાં મધ સાથે તજનું ચૂર્ણ મિક્સ કરીને પણ પી શકો છો.

કેન્સર રોકે છે :

image source

તજ કેન્સર ના કોષોની વૃદ્ધિ ઘટાડે છે, અને તેને ફેલાવવાથી રોકે છે. એક અભ્યાસમાં જણાવાયું છે કે તેમાં કીમોપ્રિવન્ટિવ ગુણધર્મો છે. સંશોધન મુજબ, તજમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એપોપ્ટોસિસ-ઇન્ડ્યુક્સીંગ પ્રવૃત્તિ, એન્ટી-પ્રોલિફેરેટિવ કેમોપ્રિવન્ટિવ એજન્ટ તરીકે કાર્ય કરે છે. આ કેન્સરના કોષો વધતા અટકાવે છે. આ ઉપરાંત, તજ અન્ય કેન્સરના લક્ષણો ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. બીજા સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે.