ચહેરા પર નેચરલ ગ્લો અને પિરીયડ્સના દુખાવામાંથી છૂટકારો મેળવવા આ રીતે લગાવો નાભિમાં તેલ, જાણો બીજા ફાયદાઓ વિશે…
નાભિને શરીરનું કેન્દ્રિય બિંદુ માનવામાં આવે છે.આ સાથે આપણા શરીરની તંત્રિકા તંત્ર નાભિ સાથે જોડાયેલ છે.એવી ઘણી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે નાભિ દ્વારા સુધારી શકાય છે.નાભિ ઉપર તેલ લગાવવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.અહીં અમે તમને જણાવી રહ્યા છીએ નાભિ પર તેલ લગાવવાથી શું ફાયદો થાય છે.
આપણા ઘરમાં જ બીમારીઓને દૂર રાખવાની ઘણી રીતો છે,જેમાં નાભિમાં તેલ નાખવું પણ શામેલ છે.તેલ માલિશ એ ભારતમાં પરંપરાગત દવાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને આજે પણ તે અનેક રોગોથી બચવા અને લડવામાં અસરકારક છે.તમે અત્યાર સુધીમાં તેલથી શરીર અથવા માથાની મસાજ વિશે સાંભળ્યું જ હશે,પરંતુ તમને જણાવી દઈએ કે નાભિ પર તેલ લગાવવાથી તમે સ્વસ્થ અને નિરોગી પણ બની શકો છો.જી હા,નાભિ આપણા શરીરનો એક ચમત્કારિક બિંદુ છે જે આપણને ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
નાભિ પર તેલ લગાડવું પણ ખૂબ જ સરળ છે અને તેના ઘણા ફાયદા છે.પરંતુ તે પહેલાં તમારે જાણવું જોઈએ કે કઈ સમસ્યા પર નાભિ પર કયા તેલનો ઉપયોગ કરવાથી ફાયદો છે.
આપણી નાભિ સીધી જ આપણા ચહેરા સાથે સંબંધિત છે.ચેહરાની કોઈપણ સમસ્યા અથવા પીરિયડ્સ સંબંધિત કોઈપણ સમસ્યા દૂર કરવા માટે માત્ર નાભિમાં તેલ લગાવો થઈ શકે છે આટલી બીમારીઓ દૂર.જાણો કેવી રીતે.
-જો તમને ખીલની સમસ્યા છે,તો આ સમસ્યા દૂર કરવા માટે લીમડાનું તેલ નાભિમાં લગાવો.
-ઋતુ બદલાતા ઘણા લોકોને હોઠ ફાટવાની સમસ્યા થાય છે,આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરસવનું તેલ નાભિમાં લગાવો.
-ચેહરા પરનો ગ્લો વધારવા માટે બદામનું તેલ નાભિમાં લગાવો.
-તમારો ચેહરો નરમ રાખવા માટે નાભિમાં શુદ્ધ દેશી ઘી લગાવો.
-ચહેરાના દરેક ડાઘ દૂર કરવા માટે નાભિમાં લીંબુ તેલ લગાવો.
-જો તમારા ચહેરા પર સફેદ ફોલ્લીઓ હોય તો લીમડાનું તેલ નાભિમાં લગાવો.
-દરેક મહિલાને પીરિયડ્સના સમયમાં ખુબ જ દુખાવો અને પીડા સહન કરવી પડે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે બ્રાન્ડીને કોટનમાં પલાળો અને થોડા સમય માટે તેને નાભિમાં રહેવા દો.
-આજકાલ મોટાભાગના લોકો જાડાપણાની સમસ્યાથી પીડિત છે.જો તમે પણ જાડાપણાથી પરેશાન છો અને તેને ઘટાડવાની સરળ રીત શોધી રહ્યા છો,તો હવે તમારી શોધ પૂરી થઈ ગઈ છે.નાભિ પર ઓલિવ તેલ લગાવવાથી જાડાપણું અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓઇલથી નાભિની માલિશ કરો.આ ઉપાય થોડા દિવસોમાં જાડાપણું અને સાંધાના દુખાવાની સમસ્યા દૂર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત