પીરિયડ્સ સમયે બહુ થાય છે દુખાવો અને સાથે ખેંચાય છે આખું શરીર? તો પીવો આ ચા અને મેળવો રાહત

પીરિયડ્સ દરમિયાન જો તમને તમારા પેટ, નીચલા પેટ અને થાઇ વિસ્તારની આસપાસ વારંવાર ખેંચાણ થાય છે, તો માત્ર ચાનો એક કપ તમને આ પીડાથી રાહત આપવામાં મદદ કરી શકે છે. ખરેખર પીરિયડ્સ દરમિયાન, મહિલાઓને ગર્ભાશયના આસપાસના વિસ્તારમાં સતત સંકોચન રહે છે, જેના કારણે ઘણી વખત આ વિસ્તારોમાં ભયંકર પીડા થાય છે. કેટલીક સ્ત્રીઓ આ સમયે ઉલ્ટી, ચક્કર અને બેહોશ થવાની પણ ફરિયાદ કરે છે. ઘણીવાર તો એવું બને છે કે આ દિવસોમાં મહિલાઓને જ ખ્યાલ નથી કે તેમને શા માટે આટલી તકલીફ થાય છે. જોકે આ પીડામાંથી સંપૂર્ણ છૂટકારો મેળવવો મુશ્કેલ છે પરંતુ પીડાને થોડી ઓછી કરવા માટે કેટલીક વિશેષ હર્બલ ટીનો ઉપયોગ કરીને રાહત મળી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ તે ચા વિશે જે તમને પીરિયડ્સ દરમિયાન થતા ખેંચાણની પીડામાં રાહત આપી શકે છે.

1. આદુ ચા

image soucre

એક સંશોધન મુજબ જો આદુનો ટુકડો અથવા 250 મિલિગ્રામ આદુનો પાવડર પાણી સાથે ઉકાળીને પીવામાં આવે અને પીરિયડ્સના પહેલા ત્રણ દિવસમાં દુખાવો ઓછો થાય છે. આ માટે તમે પીરિયડ્સ દરમિયાન સતત 3 દિવસ સુધી દિવસમાં 4 વખત આ ચા પી શકો છો. તમે ઈચ્છો તો તમારી દુધવાળી ચામાં પણ આદુનો ટુકડો ઉમેરી શકો છો.

2. વરિયાળી ચા

જો તમે પીરિયડ્સની શરૂઆતથી સતત ત્રણ દિવસ સુધી દિવસમાં 4 વખત વરિયાળીની ચા પીતા હો, તો તમને પીડામાં રાહત થશે. 15 થી 24 વર્ષની છોકરીઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં તેમને 4 દિવસ માટે વરિયાળીની ચા પીવાનું કહેવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું હતું કે પેહલા થતી પીડા અને અત્યારની પીડામાં 70% નો ફરક છે. આ રીતે, તમે પાણીમાં 30 ગ્રામ વરિયાળી ઉકાળો અને આ પાણી ગાળીને પીવો. તમે તેને લિકર ટી સાથે પણ પી શકો છો.

3.કેમોલી ચા

image soucre

એક સંશોધન મુજબ, જો તમે પીરિયડ શરૂ થયા પહેલાના એક અઠવાડિયા અગાઉ જ દિવસમાં બે કપ કેમોલી ચાનું સેનાએ કરો છો, તો પીરિયડ્સ દરમિયાન થતી પીડામાંથી તમને રાહત મળે છે. આ ચા બનાવવા માટે, બે થી ત્રણ ચમચી કેમોલી ચાને બે કપ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો. તમે તેને મધુર બનાવવા માટે મધ પણ ઉમેરી શકો છો.

4. ગ્રીન ટી

image soucre

ગ્રીન ટી જાડાપણું ઓછું કરવા માટે જાણીતી છે, સાથે તે પીરિયડ્સ દરમિયાન થતી પીડામાં પણ રાહત આપે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે તેથી પીરિયડ્સ દરમિયાન માર્યાદિત માત્રામાં ગ્રીન ટીનુ સેવન કરવાથી જાડાપણું તો ઓછું થાય જ છે સાથે તે પીરિયડ્સ દરમિયાન થતા ખેંચાણમાં રાહત આપે છે.

5. તજની ચા

image soucre

એક અધ્યયન મુજબ, જો મહિલાઓ તેમના પીરિયડ્સના ત્રણ દિવસ પેહલા દિવસમાં ત્રણ વખત તજની ચા પીવે છે, તો તે પીરિયડ્સ દરમિયાન થતી હાઈ બ્લડ પ્રેશર, પીડા, ઉલ્ટી જેવી સમસ્યાઓથી રાહત મેળવે છે.

આ સિવાય પણ પીરિયડ્સ દરમિયાન થતી પીડા અને ખેંચાણથી છુટકારો મેળવવા માટે અહીં જણાવેલી ટિપ્સ અપનાવો –

ગોળ

ગોળ તમારા પીરિયડ્સને લગતી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારે ફક્ત તમારા પીરિયડ્સના આવવાના દિવસનો અંદાજ કરી લેવો અને તેનાથી ઓછામાં ઓછા 3 દિવસ પહેલા પાણીમાં ગોળ સાથે ખાંડ મિક્સ કરીને ખાવું જોઈએ, સાથે મેથી-અજમો અને ગોળનું મિશ્રણ પણ પીરિયડ્સના દુખાવા અથવા ખેંચાણથી મુક્તિ મેળવવાની એક સરસ રીત છે. તમે તેને ગરમ પાણી સાથે સવારે ખાલી પેટ પર લઈ શકો છો.

બીટરૂટ

image soucre

પીરિયડ્સ દરમિયાન કોઈપણ એલોપેથિક દવા સાથે બીટરૂટનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પીરિયડ્સ દરમિયાન બીટરૂટનું સેવન મહિલા માટે ફાયદાકારક હોઈ શકે છે.

ગરમ પાણી

image soucre

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને પેટના નીચલા ભાગમાં દુખાવાની સમસ્યા થાય છે. આ પીડાથી છૂટકારો મેળવવા માટે, તમે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીનું સેવન કરી શકો છો.

હળદરવાળું દૂધ

પીરિયડ્સ દરમિયાન પીઠ, પેટ અને શરીરના દુખાવાથી રાહત મેળવવા માટે, તમે એક ગ્લાસ હળવા દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પી શકો છો.

અળસીના બી

image soucre

અળસીના બી પીરિયડ્સમાં થતો દુખાવો ઘટાડે છે. તેમાં ફાઇબર, લિગ્નાન્સ, ઓમેગા -6 અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. આ માટે અળસીના બીજને થોડો સમય પાણીમાં પલાળ્યા પછી તે પાણીને ગાળીને પી લો અથવા તેનો પાઉડર બનાવીને ખાઈ શકો છો. અળસીના બીજ સાદા પાણી સાથે પણ ખાઈ શકાય છે.

જીરું, હળદર અને મધ

image source

જીરું, હળદર અને મધનો ઉકાળો પીવાથી પેટના નીચેના ભાગમાં થતો દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે. આ માટે, તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું, એક ચમચી હળદર મિક્સ કરો અને આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે આ પાણી ગાળી લો અને તેમાં મધ મિક્સ કરીને પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત