જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ઘરમાં આવશે પોઝિટિવ એનર્જી, અને સાથે અનેક બીમારીઓથી રહેશો દૂર
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે એની આસપાસનું વાતાવરણ હંમેશા પોઝિટિવ એનર્જીથી ભરેલું હોય પણ આપણને જોઈએ તેવું પોઝિટિવ વાતાવરણ મળતું નથી. તો આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જીમાં વધારો કરી શકો છો અને આ માટે તમારે અપનાવવાની છે કેટલીક સ્માર્ટ અને સરળ યુક્તિઓ. તો ચાલો જોઈ લઈએ કઈ કઈ ટ્રિક્સથી તમે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકશો.
તમારા ઘરને હંમેશા ચોખ્ખું રાખો. ગંદગીના કારણે નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
ઘરમાં ક્યાંય કચરો કે ભંગાર ન રાખો. દરવાજા પાસે ડસ્ટબીન ન રાખો, કારણ કે એના કારણે નેગેટિવ ઉર્જા પેદા થાય છે.
કલર થેરેપી અને સાયકોલોજીનો પ્રયોગ કરો.
એનર્જી આપે એવા ફ્રેશ કલરનો ઉપયોગ કરો. ગ્રીન, બ્લ્યુ, પર્પલ, યેલો, ઓરેંજ જેવા કલર પસંદ કરો.
નેગેટિવ અને ડાર્ક કલરને અવોઇડ કરો.
આરોમાં થેરેપીથી ઘરને મહેકતું રાખો.
ઘરમાં ક્રિસ્ટલ રાખો
તમારા ઘરમાં સરખું વેન્ટીલેશન રાખો.
ઘરમાં ફૂલ છોડ રાખો.
ઘરમાં લાઇટિંગને ક્યારેય ડલ ન પડવા દો.
ઘરમાં ક્યાંય ભેજ કે લીકેજ ન હોય એનું ધ્યાન રાખો. અને જો હોય તો એને જલ્દી જ સરખું કરાવી લો.
તમારા ઘરના દરવાજા અવાજ ન કરતા હોય એનું ખાસ ધ્યાન રાખો.
દીવાલોમાં તિરાડ હોય તો પુરાવી લો.
ખુશનુમા યાદોથી ઘરને સજાવો. ફેમેલી ફોટો, હસતા હોય એવા ચિત્રો એટલે કે હેપી મોમેન્ટ્સ ઘરની દીવાલો પર પણ સજાવો.
સેલ્ફ બનાવીને એમ બુક્સ અને ડેકોરેટિવ પીસ મુકો. બુક્સ મુકો અને લાઇટિંગ અરેન્જમેન્ટ પણ કરાવો.
ઘરમાં અંધારું ન હોય, કુદરતી રીતે સૂર્ય પ્રકાશ ઘરમાં આવે એનું ખાસ ધ્યાન રાખો.
ઘરમાં એકવેરિયમ મુકો. એ ઘરમાં સમૃદ્ધિ લાવે છે.
ઘરના મુખ્ય દરવાજાને ફેસ કરતું હોય એવું ઝાડ કે પિલર ન હોય એનું ધ્યાન રાખો.
કિચનમાં દવા ન મુકો.
તૂટેલા વાસણ, બંધ પડી ગયેલી ઘડિયાળ કે ખરાબ ઇલેક્ટ્રોનિક આઈટમ ઘરમાં ન રાખો.
બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો.
કિચનને ફેસ કરતું હોય એવું ટોયલટ ન રાખો.
દીવાલો પર એકલતા, ક્રોધ, લડાઇ કે પછી હતાશા વાળા ચિત્ર કે પેઇન્ટિંગ ન લગાવો.
ફર્નિચરના ખુણા બહુ ધારદાર ન હોય, એ તૂટેલો ન હોય, હલન ચલણમાં અવાજ ન આવતો હોય એનું ખાસ ધ્યાન રાખો.
જો ઘરને રોયલ લુક આપવા માંગતા હોય તો વ્હાઈટ અને ક્રીમ કલરનો ઉપયોગ કરો. આ રંગ સોફ્ટ, સુથિંગ અને પોઝિટિવ હોય છે. જે તમારા મન અને મગજને શાંત રાખવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત