આંખોની રોશની વધારવા માટે ચોક્કસપણે કરો આ વસ્તુઓને ડાયટમાં સામેલ, એકવાર અજમાવો અને નજરે જુઓ પ્રભાવ…
આંખો આપણા શરીર નો સૌથી અભિન્ન ભાગ છે. આંખોથી જ આપણે દુનિયાની બધી સારી અને ખરાબ વસ્તુઓ જોઈ શકીએ છીએ. જેમ શરીર ના બાકીના ભાગ ને સ્વસ્થ રાખવા માટે પોષણ યુક્ત આહારની જરૂર પડે છે, તેવી જ રીતે આંખોને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત આહારની જરૂર પડે છે.
આજની બદલાતી જીવનશૈલી કમ્પ્યુટર પર કલાકો સુધી ઓફિસનું કામ કરીને અથવા મોબાઇલ પર ગેમ્સ રમીને આંખોને નબળી બનાવી રહી છે. એક તરફ આંખો ને આરામ મળતો નથી અને તણાવ જળવાઈ રહે છે, તો બીજી તરફ આપણા આહારમાં આંખોને પોષણ મળતું હોય તેવું કશું જ નથી. આ કિસ્સામાં, આંખો ધીમે ધીમે નબળી થવા લાગે છે અને આંખોની રોશની ઓછી થાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આંખોને સ્વસ્થ કેવી રીતે રાખવી…?
આંખોને નુકસાનથી બચાવવા અને તેમને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં વિટામિન્સ, ખનિજો અને પોષક ખોરાક નો સમાવેશ કરો. તો ચાલો આજે તમને એવા ખોરાક વિશે જણાવીએ જે તમારી આંખો ને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.
બદામ :
સૂકા મેવા અને બદામ ને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેઓ વિટામિન ઇ થી સમૃદ્ધ છે, જે આંખોની રોશની વધારવામાં મદદ કરી શકે છે.
ઇંડા :
ઇંડા ને પ્રોટીન નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. એટલું જ નહીં તેમાં એમિનો એસિડ, સલ્ફર, લેક્ટિન, લ્યુટીન, સિસ્ટિન અને વિટામિન બી2 હોય છે. કોશિકાઓની કામગીરીમાં વિટામિન બી મહત્વપૂર્ણ છે. ઈંડાનું સેવન આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
પાંદડાવાળા શાકભાજી :
લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન અને વિટામિન્સ ભરપૂર હોય છે, જે આંખો ની રોશની વધારવામાં અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
બીન્સ :
કઠોળમાં બાયફ્લેવોનોઇડ્સ અને ઝિંક ભરપૂર હોય છે. જે આંખોના રેટિના ને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આહારમાં કઠોળ નો સમાવેશ કરીને આંખોની રોશની વધારી શકાય છે.
ખાટા ફળો :
જો તમે તમારા આહારમાં નારંગી, દ્રાક્ષ, લીંબુ અને બેરી જેવા ફળો નો સમાવેશ કરો છો, તો માત્ર આંખો જ નહીં પરંતુ આખા શરીર ને સ્વસ્થ રાખી શકાય છે. સાઇટ્રસ ફળોમાં વિટામિન સી, વિટામિન ઇ હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરી શકે છે.