શું તમે જાણો છો આ પત્તા વિશે? જે એક સાથે અનેક બીમારીઓને કરે છે દૂર, જાણો અને આ રીતે કરો ઉપયોગ
એક તરફ મસાલા જ્યાં શાકભાજી તેમનો સ્વાદ વધારે છે. બીજી તરફ, તેઓ ઔષધીય ગુણધર્મોથી પણ સમૃદ્ધ છે. હિન્દુસ્તાની રસોડામાં વાનગીઓનો સ્વાદ સુધારવા માટે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં મસાલાના ઔષધીય ગુણધર્મોનો પણ ઉલ્લેખ છે.
તમાલપત્ર ને ભારતીય રસોડામાં લોકપ્રિય મસાલા તરીકે પણ અપનાવવામાં આવે છે. તમાલપત્રમાં ઘણા ગુણ હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ દરમિયાન આજે અમે તમને તમાલપત્રના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ તમાલપત્રના ફાયદા ઓ વિશે.
તમાલપત્રમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવા ને દૂર કરવાના ગુણ રહેલા છે. જેના કારણ થી તે દુખાવા માટે લાભાદાયી છે. આ સાથે તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમાલપત્ર નો ઉપયોગ ઘરમાં સુગંધ ફેલાવા માટે પણ કરી શકો છો.
ઘણા લોકો તેમના ઘર ને સુગંધિત રાખવા માટે બજારમાં મળતા મોંઘાદાટ, કેમિકલવાળા રૂમ ફ્રેશનર નો ઉપયોગ કરે છે. પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તમે તમાલપત્ર નો ઉપયોગ કરી શકો છો.તમે રૂમમાં કે ઘરમાં તમાલપત્ર ને સળગાવી દો. તેને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવશે.
તમાલપત્રના પાંદડામાં કૃમિનાક ગુણ હોય છે. સૂતા પહેલા રાત્રે સૂકા પાંદડા નો પાવડર બે ગ્રામ નવશેકા પાણી માં સેવન કરવામાં આવે તો પેટના કીડા મરી જાય છે, અને મળ સાથે બહાર આવે છે. મૂત્ર ની સમસ્યાઓમાં પાંદડા નો પાવડર પણ ફાયદો કરે છે. જો ખાધા પછી દિવસમાં બે વાર બે ગ્રામ પાવડર નું સેવન કરવામાં આવે તો તે વિવિધ પ્રકાર ની પેશાબની સમસ્યાઓથી મટી શકે છે.
તમાલપત્ર છાલ નો પાવડર હૃદયના વધુ સારા સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે. તમાલપત્રના ઝાડ નો છાલનો પાવડર બે ગ્રામ પાણીમાં ડૂબાડવો જોઈએ અને અડધો કલાક રાખવો જોઈએ અને પછી થી સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. મધ સાથે તમાલપત્ર નો પાવડર લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપી રાહત થાય છે.
કિડની ની સમસ્યા હોય ત્યારે તમાલ પત્ર ખૂબ કામમાં આવી શકે છે. તમાલપત્ર અને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે. તમાલપત્ર અને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લો, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીઝના દરદીઓને લાભ મળે છે. લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે.
આપણને જ્યારે શરદી થાય ત્યારે પણ તમાલપત્ર કામ આવી શકે છે. શરદી ને લગતા રોગો પણ તમાલપત્ર ના ઉપયોગથી મટી શકે છે. આથી તમાલપત્ર અને માત્ર મસાલા સમજી ને ખાવું નહીં પરંતુ તેના ઘણા બધા ફાયદાઓ છે. જો તમારાં દાંત પીળા થઇ ગયા હોય તો ચમકાવવા માટે પણ તમાલપત્ર ઉપયોગી છે, એક અઠવાડિયામાં બે વાર તમાલપત્ર નો પાવડર બનાવી બ્રશ કરવું પીળાશ જતી રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત