બોરિસ જ્હોન્સને સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચ્યા, બ્રિટિશ વડાપ્રધાને ચરખા પર અજમાવ્યો હાથ
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ગુરુવારે સવારે ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને ચરખા પર હાથ અજમાવ્યો હતો
મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાતી પુસ્તકની નોંધમાં બોરિસ જોન્સને લખ્યું છે કે, “આ અસાધારણ વ્યક્તિના આશ્રમની મુલાકાત લેવી અને અહીં સમજવું એક ખુબ મોટું સૌભાગ્ય છે કે એમણે વિશ્વને બહેતર બનાવવા માટે સત્ય અને અહિંસાના આવા સરળ સિદ્ધાંતોને કેવી રીતે સંગઠિત કર્યા.
#WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k
— ANI (@ANI) April 21, 2022
બોરિસ જોન્સનની ભારત મુલાકાત
જ્હોન્સન ગુરુવારે સવારે તેમની ભારત યાત્રા શરૂ કરવા અમદાવાદ પહોંચ્યા હતા અને એરપોર્ટથી શહેરની એક હોટલ સુધીના ચાર કિમીના રૂટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જોન્સનનું સ્વાગત કર્યું હતું. તેમને આવકારવા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
બ્રિટિશ વડા પ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનો કાફલો હોટલ તરફ આગળ વધ્યો ત્યારે પરંપરાગત ગુજરાતી નૃત્ય અને સંગીત રજૂ કરતી ટુકડીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શો એરપોર્ટની બહારથી શરૂ થયો હતો અને આશ્રમ રોડ પરથી પસાર થઈને ડફનાળા અને રિવરફ્રન્ટ થઈને પસાર થયો હતો.
એરપોર્ટ સર્કલથી આશ્રમ રોડ પરની ફાઇવ-સ્ટાર હોટલ સુધીના ચાર કિલોમીટરના અંતરે નિયમિત અંતરે 40 પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં જ્હોન્સનનું સ્વાગત કરવા માટે મંડળે ફરીથી પરંપરાગત ભારતીય નૃત્ય રજૂ કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તેમના એક દિવસીય રોકાણ દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બંધ બારણે બેઠક કરશે. તે પછી, તેઓ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલી બ્રિટિશ બાંધકામ સાધનોની પેઢી જેસીબીની ઉત્પાદન સુવિધા માટે રવાના થશે.
ગુજરાત સરકારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટિશ વડાપ્રધાન ગાંધીનગરમાં નિર્માણાધીન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લેશે કારણ કે આ યુનિવર્સિટી યુકેની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સહયોગથી બની રહી છે.
બ્રિટિશ પીએમ તેમની ગુજરાત મુલાકાત પૂરી કરીને નવી દિલ્હી જતા પહેલા ગાંધીનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે.