કેન્સરથી લઇને આ અનેક મોટી બીમારીઓ દૂર કરે છે સરસોનું શાક, જાણો અને લો આ રીતે ઉપયોગમાં…

શિયાળાના દિવસોમાં ઠંડા વાતાવરણથી બચવા માટે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આ ઋતુમાં ગરમ વસ્તુઓ ખાવામાં ખૂબ જ મજા આવે છે આપણે એવી ચીજોનો આપણા ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ જે આપણને ગરમી આપે તેમજ ઠંડી અને તાવથી બચાવે.આપણા લોહીના કોષો શરદીમાં સંકોચાઈ જાય છે,જેના કારણે શરીર કડક લાગે છે,શરીરમાં લોહીનો પ્રવાહ પણ પ્રભાવિત થવા લાગે છે.આ બધી બાબતોથી બચવા માટે આપણે સરસોનું શાક ખાવું જોઈએ.સરસોના શાક વિશે તો બધા જાણે જ છે આ પંજાબનું પ્રખ્યાત શાક છે.હવે તો આ શાક દરેક જગ્યાએ મળે છે અને લોકો હવે ઘરે પણ બનાવે જ છે.આ શાક ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને આ શાક આપણને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.તો ચાલો આપણે જાણીએ સરસોના શાક ખાવાના ફાયદાઓ.

image source

ઘણા લોકોને ઠંડી ઋતુમાં શાકભાજી ખાવાનું ગમે છે.સરસોનું શાક એ કેલરી,ખનિજો અને વિટામિનનો ખજાનો છે.સરસોનું શાક અને મકાઈની રોટલી ભારતીય ઘરોમાં ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે આ રોજ ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.સરસોને તેલના પાક તરીકે ઉગાડવામાં આવે છે.તેના પાંદડાનો ઉપયોગ સાગ અને શાકભાજી બનાવવા માટે થાય છે,તેના બીમાંથી તેલ પણ બનાવવામાં આવે છે,સરસોના તેલને કડવું તેલ પણ કહેવામાં આવે છે.જે આપણા માટે ખૂબ ફાયદાકારક છે

જાણો સરસોના શાક ખાવાથી થતા ફાયદાઓ વિશે.

શિયાળામાં સરસોનું શાક ખાવાથી વિવિધ મુશ્કેલીઓ આપણાથી દૂર રહે છે.તે આપણા માટે ખુબ જ ફાયદાકારક છે,જે લોકો વજન ઓછું કરવા માગે છે,તેઓએ તેમના આહારમાં સરસોના શાકનો સમાવેશ કરવો જોઈએ,સરસોમાં ડાયટ ફાઇબર હોય છે,જે તમને તમારા મેટાબોલિઝમનું સંચાલન કરવામાં મદદ કરે છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

image source

સરસોનું શાક શરીરના હાડકાંને સ્વસ્થ રાખે છે.તે કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે,જે હાડકાંને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે.

image source

સરસોના શાકમાં વિટામિન,વિટામિન એ અને વિટામિન સી જેવા એન્ટીઓકિસડન્ટો હોય છે.તે મેંગેનીઝ અને ફોલેટનો સારો સ્રોત પણ માનવામાં આવે છે,જે આપણને અસ્થમા,હૃદયરોગ અને મેનોપોઝ જેવા ગંભીર રોગોથી સુરક્ષિત કરે છે.

image source

સરસોના શાકમાં વિટામિન કે અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે,જેમાં બળતરા વિરોધી અસરો હોય છે. સરસોનું શાક ખાવાથી કેન્સર,હૃદયરોગ અને સંધિવા જેવી સમસ્યાઓ થતી નથી

image source

સરસોના શાકમાં ભરપૂર ફાઈબર હોય છે તે પાચનના દરમાં વધારો કરે છે,સાથે સાથે યોગ્ય પાચનમાં પણ મદદ કરે છે,તેથી તેને ઘણા પોષક તત્વોનો ખજાનો પણ કહેવામાં આવે છે.

image source

સરસોના શાકમાં એન્ટીઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે,જે આપણા શરીરને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવવામાં મદદ કરે છે.તે મૂત્રાશય,પેટ,સ્તન,ફેફસા,પ્રોસ્ટેટ અને અંડાશયના કેન્સરને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત