ચોમાસામા આ તેલમા બનેલો ખોરાક બનાવી રાખશે તમને ફિટ એન્ડ ફાઈન, વાંચો આ લેખ અને જાણો…
ચોમાસા ના ઝરમર વરસાદ વચ્ચે વ્યક્તિ નું મન તળેલું અને મસાલેદાર બની જાય છે, પરંતુ કેટલીક વાર તૈલી ખોરાક ખાવાથી પાચનતંત્ર બગડી જાય છે. ચોમાસુ કોને ન ગમે ? આ ઋતુમાં જ્યાં લોકો ને ગરમી થી રાહત મળે છે, ત્યાં બધે ફેલાયેલી હરિયાળી મન ને પ્રસન્ન કરે છે. આ દરમિયાન, વરસાદ વરસતો જોઈને, આપમેળે ગરમ આદુ ની ચા અને પકોડા ખાવાનું મન થાય છે.
પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે વરસાદ ને માણવા માટે કરવામાં આવેલા સ્વાદમાં ફેરફાર પાચન ક્રિયા ને બગાડે છે. પછી ચિંતા ઓછી સ્વાદ ની વધુ બનવા લાગે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે ચોમાસામાં કયા તેલ નો ઉપયોગ કરવો જોઈએ, જેમાં સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક તમારા પાચન ને પણ બરાબર રાખી શકે છે.
સરસવનું તેલ :
આપણા દેશના મોટાભાગ ના ઘરોમાં રસોઈમાં આ જ તેલ નો ઉપયોગ થાય છે. આ તેલમાં ઘણાં બધા તત્વો હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ (સરસવ) તેલમાં ગરમ તાસીર હોય છે. કારણ કે ઉનાળા પછી વરસાદ થી તાપમાન થોડું ઓછું થાય છે, હવામાન ઠંડું પડે છે, જે કિસ્સામાં સરસવ નું તેલ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ તેલ એલર્જી સામે રક્ષણ આપવામાં પણ મદદ કરી શકે છે.
તલ નું તેલ :
ચોમાસામાં રસોઈ માટે તલ નું તેલ પણ સારો વિકલ્પ ગણવામાં આવે છે. તેલ ના તલ માં ઘણા પ્રકાર ના રોગો સામે લડવાની ક્ષમતા છે. જો તમારા શરીર નું શુગર વધારે રહે તો આ તેલ તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય, તલનું તેલ કેન્સર, એનિમિયા વગેરે જેવી ઘણી બીમારીઓ સામે લડવા ની ક્ષમતા પણ આપી શકે છે.
ઓલિવ તેલ :
ઓલિવ તેલ ને વરસાદી મૌસમમાં શરીર માટે સારું માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર થી પીડાતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ઓલિવ ઓઇલ નો ઉપયોગ કરીને તમે ઘણા બધા રોગોથી બચી શકો છો.
સૂરજમુખી નું તેલ :
આ તેલમાં વિટામિન-ઈ પ્રચુર માત્રામાં હોય છે. તેની સાથે પોષણ આપનારા તત્ત્વો પણ સામેલ હોય છે. વિટામિન-ઈ વાળ ને પોષણ પહોંચાડે છે. આ તેલ વાળ માટે ઘણું સારું છે. હૃદય માટે પણ આ તેલ ખુબ જ ફાયદાકારક છે. આ સાથે જ તેમાં હાજર પોલીઅનસેચુરેટિડ બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ ને જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.