ગાયના ધીનું કરે છે આંખોની રોશની વધારવાનું કામ, જાણો બીજી કઇ સમસ્યાઓ માટે અક્સીર છે
મિત્રો, આપણી ભારતીય ખાણીપીણીમા ઘી નો ખૂબ જ વધારે પડતો ઉપયોગ કરવામા આવે છે. તમે તમારા વડીલો પાસેથી ઘણીવાર સાંભળ્યુ હશે કે, ઘી નો ઉપયોગ એ વ્યક્તિને એક અલગ જ પ્રકારની શક્તિ આપે છે અને આપણા હાડકાને મજબૂત બનાવવા માટે સહાયરૂપ સાબિત થાય છે.
આમ તો ઘીનુ સેવન એ દરેક ઋતુમા લાભદાયી માનવામાં આવે છે પરંતુ, ઠંડા વાતાવરણમા ઘીનુ સેવન એ તમને બે ગણો લાભ અપાવી શકે છે. ફક્ત ફાયદો જ નહી પરંતુ, ઠંડા હવામાનમા ઘીનો સ્વાદ પણ બે ગણો થઈ જાય છે. ઘીનો ઉપયોગ એ બીમારીઓને આપણા શરીરથી પણ દૂર રાખે છે.
ઠંડા હવામાનમા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અને શરીરમા ઊર્જાનુ સ્તર વધારવા માટે પણ ઘીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામા આવે છે. ફક્ત એટલુ જ નહી પરંતુ, ઘી આપણા વજનને નિયંત્રિત કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. તે આપણી ત્વચા સાથે આપણા માનસિક સ્વાસ્થ્યનુ પણ રક્ષણ કરે છે. તો ચાલો જાણીએ કેટલુ ગુણકારી છે ગાયનુ ઘી?
અનેકવિધ ગુણોની ખાણ છે આ ગાયનુ ઘી. તે મુખ્યત્વે તંદુરસ્ત ચરબીયુક્ત ભાગ્યથી ભરેલું છે, જેનો ઉપયોગ શરીરમાં આવશ્યક ભાગોમા જઈને વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-ડી જેવા પોષકતત્વો પહોંચાડવાનુ હોય છે. ઘીમા રહેલો ઓમેગા-૩ ફેટી એસિડ એ આપણા મગજ અને હૃદય માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
ઘી એ આપણને કફની સમસ્યામા રાહત અપાવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. કફની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે એક ચમચી ઘી ગરમ કરો અને તેમા આધુને ક્રશ કરીને તેનો પાવડર ઉમેરો અને તેનુ સેવન કરો જેથી, તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી જશે.
આ સિવાય આંખનો પ્રકાશ વધારવા માટે પણ તે લાભદાયી સાબિત થાય છે. આ ઘી એ આપણને આંખો સાથે સંકળાયેલી અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. આ ઉપરાંત ઘી નુ સેવન એ તમારી આંખોનુ તેજ વધારવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.
આ ઉપરાંત તે માઇગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. હાલ, પ્રવર્તમાન સમયમા માઇગ્રેનની સમસ્યાથી ઘણા લોકોથી પરેશાન છે, જો તમે પણ માઇગ્રેનની સમસ્યાઓથી પરેશાન છો, તો દરરોજ સવાર-સાંજ તમારા માથાના કેન્દ્રબિંદુ પર ઘીના બે ટીપાં નાખો અને માલીશ કરો. આમ, કરવાથી માઇગ્રેનની સમસ્યામા તમને રાહત મળે છે તથા તમારુ મન તાજગીથી ભરપૂર રહે છે.
આ સિવાય ઘી એ કબજિયાત અને એસિડિટીની સમસ્યા સામે પણ તમને રાહત આપે છે. જો તમે રાતના સમયે સુતા પહેલા એક ચમચી ઘીનુ સેવન કરશો તો તમારુ પાચનતંત્ર સુધરશે અને મજબુત બને છે. આ ઉપરાંત કબજિયાતની સમસ્યામા પણ તમને રાહત મળે છે. આ સિવાય ઘીનો નિરંતર ઉપયોગ તમારી એસિડિટીની સમસ્યામા પણ રાહત અપાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત