રાત્રે ઊંઘતા પહેલા ખાસ ખાઓ ઇલાયચી, નહિં થાય ગળામાં ક્યારે દુખાવો અને સાથે આ બીમારીઓથી પણ રહેશો દૂર
આપણા રસોડામાં હાજર દરેક ચીજ આપણા માટે ફાયદાકારક જ હોય છે, માત્ર દરેકના ફાયદા અને તેને ખાવા માટેની રીત અને સમય જાણવો જરૂરી છે. આજે અમે તમને તમારા રસોડામાં રહેલી નાની એલચીના ફાયદાઓ વિશે જણાવીશું. એલચીનો ઉપયોગ દરેક ભારતીય ઘરોમાં મસાલા અને માઉથ ફ્રેશનર તરીકે થાય છે. તે ઘણી વાનગીઓને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાય છે. એલચી બે પ્રકારની હોય છે, એક મોટી એલચી અને એક નાની એલચી. એલચીમાં આયરન, વિટામિન સી, નિયાસિન, રાયબોફ્લેવિન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. એલચીનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે કારણ કે તેમાં સ્વાસ્થ્ય ગુણધર્મો ખૂબ સારા છે. એલચીના ઉપયોગથી તમે ઘણા રોગોનો ઇલાજ કરી શકો છો અને રોગો થતા અટકાવી શકો છો. એલચીનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. જો તમે રોજ એલચી ખાઓ છો તો તમને તેનાથી ઘણા ફાયદા મળી શકે છે. પણ શું તમે જાણો છો કે દરરોજ રાત્રે એલચી ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે, આજે અમે તમને એવા ફાયદાઓ જણાવીશું જે જાણીને તમે આજથી જ રાત્રે એલચીનું સેવન કરશો.
પાચન શક્તિ
ઘણા લોકોને તમે જમ્યા પછી વરિયાળી અને એલચી ખાતા જોયા હશે, પણ શું તમે જાણો છો કે તેઓ આવું શા માટે કરે છે ? કારણ કે એલચીમાં કેટલાક રાસાયણિક તત્વો હોય છે જેના કારણે તે તમારા ખોરાકને પચાવવામાં મદદ કરે છે. એલચી ગેસ, એસિડિટી અને ખરાબ પેટની તકલીફથી પણ રાહત આપે છે.
શિયાળામાં ગળાના દુખાવાથી રાહત મળે છે
અત્યારે ચાલતા શિયાળાના સમયમાં ગળામાં બળતરા થવી અને ગળામાં દુખાવો થવું સામાન્ય છે, પરંતુ જો તમે દરરોજ રાત્રે એલચી ખાસો તો તમને આ સમસ્યા નહીં થાય. સવારે ઉઠ્યા પછી ખાલી પેટ પર અને રાત્રે સૂતા પહેલા એલચી ખાવી અને પછી નવશેકું પાણી પીવો. તેનાથી તમારા શરીરમાં હૂંફ વધે છે અને ગળામાં થતી સમસ્યા દૂર થાય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ
એલચીમાં હાજર પોટેશિયમ ફાઇબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ એલચીનું સેવન જરૂરથી કરવું જોઇએ. આ ઉપરાંત એલચીમાં રહેલા તત્વો શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. એક એલચીને મોં દબાવવાથી હિચકી બંધ થાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે એલચીનું સેવન ખૂબ ફાયદાકારક છે. એટલું જ નહીં તે શરદી, ઉધરસ અને કફની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. દરરોજ રાત્રે એક એલચીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે
કેન્સરનું જોખમ ઓછું કરો
એલચીમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. આ એક એવી ઔષધિ છે જે શરીરમાં રહેલા કેન્સરના કોષોને વિકસતા રોકે છે અને કેન્સરનું જોખમ અનેક ગણું ઘટાડે છે. જો તમે નિયમિત એલચીનું સેવન કરો છો તો તે કેન્સરની સમસ્યાને પણ દૂર રાખવામાં મદદ કરે છે.
મોમાં આવતી દુર્ગંધથી છૂટકારો મળશે
મોમાં આવતી દુર્ગંધના કારણે ઘણા લોકો પરેશાન થાય છે. એલચીમાં એવા ઔષધિ ગુણ હોય છે કે તેને ચાવવાથી મોંમાંથી આવતી ગંધ દૂર કરવામાં મદદ મળે છે. એલચીને માઉથ ફ્રેશનર પણ કહેવામાં આવે છે. એલચીનું નિયમિત સેવન કરવાથી મોંના સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત