રસોઈમાં રહેતી આ 1 વસ્તુ સ્વાસ્થ્યને આપે છે અઢળક ફાયદા, જાણીને નહીં કરો વિશ્વાસ

હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી બાયોટિક ગુણ હોય છે. તેમાં મળનારા એન્ટીઓક્સીડેન્ટ્સ ચહેરાના રિંકલ્સ દૂર કરવામાં મદદ કરે છે. હળદર એક કમ્પલીટ વ્હાઇટનિંગ થેરાપી છે. સ્કિન પર અપ્લાય કરવા માટે માર્કેટમાં મળતા હળદર પાઉડરનો ઉપયોગ કરવાના બદલે ઘરમાં જ આખી હળદર લાવીને તેને પાણી સાથે ઘસીને પેસ્ટ બનાવવામાં આવે તો તેની અસર વધારે દેખાય છે.

image source

હળદરનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો વધારે બ્યુટી બેનિફિટ્સ મળી શકે છે. આ સાથે અમે અહીં આપને માટે હળદરના કેટલાક હેલ્થ બેનિફિટ્સ પણ લાવ્યા છીએ. જે તમારી હેલ્થને પણ ફાયદારૂપ છે. તો શરૂ કરી દો હળદરના આ ઉપાયો અને દેખાઓ સુંદર.

બ્યૂટી બેનિફિટ્સ

હળદરમાં બેસન, લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી રંગ ગોરો થાય છે.

image source

હળદરમાં મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને સ્કિન પર અપ્લાય કરો. તેનાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે અને ગ્લો વધે છે.

ઓલિવ ઓઇલમાં 1 ચપટી હળદર પાઉડર મિક્સ કરીને ચહેરા પર માલિશ કરો. તેનાથી રિંકલ્સથી રાહત મળે છે.

બટાકાના રસમાં હળદર પાઉડર મિક્સ કરીને આંખની નીચેના ડાર્ક સર્કલ્સ પર લગાવો. તે સૂકાઇ જાય તો ધોઇ લો. તેનાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.

image source

લોટના થૂલામાં ચપટી હળદર, કાચું દૂધ મિક્સ કરીને કોણી પર લગાવો. તેનાથી કોણીની કાળાશ દૂર થશે.

મલાઇમાં હળદર પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ધોઇ લો. તેનાથી ચહેરાનો ગ્લો વધે છે.

બેસનમાં દહીં અને હળદર મિક્સ કરીને હાથ-પગ પર લગાવવાથી સ્કિનનો રંગ નીખરે છે.

મધમાં ગુલાબજળ અને હળદર મિક્સ કરીને ગરદન પર લગાવો. તે સૂકાઇ જાય ત્યારે તેને ધોઇ લો. તેનાથી કાળાશ દૂર થાય છે.

image source

ટામેટાના રસમાં ગુલાબજળ અને હળદર પાવડર મિક્સ કરીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે. આ સ્કિનનો ગ્લો વધારવામાં મદદ કરે છે.

હળદરમાં ચંદન પાઉડર અને દહીં મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ ધબ્બા દૂર થાય છે.

image source

હેલ્થ બેનિફિટ્સ

તેમાં આર્યન હોય છે જે એનિમિયા (લોહીની ઊણપ) દૂર કરવામાં મદદગાર છે.

તેમાં કરક્યૂમિન ફેટી ટિશૂઝ બનતા રોકે છે. આ વજન ઓછું કરવામાં મદદ કરે છે.

image source

હળદરમાં મધ મિક્સ કરીને પીવાથી અસ્થમાની અસર ઘટે છે.

તેમાં મધ અને આમળાનો રસ મિક્સ કરીને પીવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે.

image source

તે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. આ માટે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં ઇફેક્ટિવ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત