જલ્દી અપનાવી લો આ ખાસ ઉપાયો,ફ્રિઝમાં 20 દિવસ સુધી નહીં ખરાબ થાય કોથમીર

કોઈપણ પણ શાકના સ્વાદને વધારવો હોય તો લીલા ધાણા કરતા વધારે સારું બીજું શું હોઈ શકે છે. લીલા ધાણા ના ફક્ત ભોજનને સજાવવાનું કામ કરે છે ઉપરાંત લીલા ધાણાથી સ્વાદ પણ લાજવાબ થઈ જાય છે. પરંતુ મોટાભાગના લોકોની આ જ ફરિયાદ રહે છે કે, લીલા ધાણાને કોઈપણ રીતે રાખવામાં આવે પરંતુ તે બે- ત્રણ દિવસ પછી લીલા ધાણા સુકાવા લાગે છે. અહીંયા સુધી કે, તે સડવા પણ લાગે છે. એવામાં લીલા ધાણાના પાંદડાને કોઈપણ રીતે અઠવાડિયાઓ સુધી ફ્રેશ રાખવા એ સૌથી મોટી મુશ્કેલી છે. એવામાં આજે અમે આપને કેટલાક ઉપાયો વિષે જણાવીશું જેના દ્વારા આપ લીલા ધાણાના પાંદડાને કેટલાક અઠવાડિયાઓ સુધી સુકાઈ જતા બચાવી શકો છો અને ફ્રેશ પણ રાખી શકો છો જાણીશું હવે આ સરળ ઉપાયો શું છે.

પહેલો ઉપાય:

image soucre

લીલા ધાણાના પાંદડાને ડાળખી સહિત તોડી લો.

 

હવે પાણીની મદદથી લીલા ધાણાને ધોઈ લો અને પછી તેને કોરા કરી લો.

ત્યાર બાદ ટીશ્યુ પેપરની મદદથી લીલા ધાણાને સારી રીતે કોરા કરી લો, શક્ય હોય તો લીલા ધાણાને ફેલાવી દો આમ કરવાથી તેમાં રહેલ બધું પાણી સુકાઈ જશે.

હવે એક ગ્લાસ લો અને તેમાં થોડું પાણી ભરો.

image soucre

હવે આ લીલા ધાણાના પાંદડાને ડાળખી સહિત આ પાણી ભરેલ ગ્લાસમાં રાખો, આપે ધ્યાન રાખવું કે, લીલા ધાણાના ડાળખી પૂરી રીતે પાણીમાં ડૂબી જશે અને ધાણાના પાંદડા પાણીથી બહાર રહે.

હવે એક જીપલોક બેગ લો અને આ ગ્લાસને એમાં રાખી દો.

આ જીપલોક બેગને બંધ કરશો નહી અને સીધે સીધી ફ્રીઝમાં રાખી દો.

આપને પાણી બદલવાની જરૂરિયાત છે નહી.

આવી રીતે આપ લીલા ધાણાના પાંદડાને બે અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો.

બીજો ઉપાય:

લીલા ધાણાને પાણીથી ધોઈ લો અને ત્યાર બાદ તેને કોરા કરી લો.

image soucre

આપે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, લીલા ધાણાને તેના મૂળથી અલગ કરી દો.

જયારે લીલા ધાણા સુકાઈ જાય ત્યારે લીલા ધાણાના પાંદડાને ટીશ્યુ પેપરમાં લપેટી લો.

હવે ટીશ્યુ પેપરમાં લપેટવામાં આવેલ લીલા ધાણાના પાંદડાને જીપલોક બેગમાં ભરી લો.

image soucre

આ જીપલોક બેગને સારી રીતે બંધ કરી દેવી જોઈએ.

ત્યાર બાદ આપે આ જીપલોક બેગને ફ્રિઝમાં રાખી દો.

આવી રીતે લીલા ધાણાને આપ બે થી ત્રણ અઠવાડિયાઓ સુધી એટલે કે, ૧૫ થી ૨૦ દિવસ સુધી લીલા ધાણાને ફ્રેશ રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત