પીરિયડ્સમાં પેડ્સને કારણે થાય છે ફોલ્લીઓ અને રેશિસ, તો ખાસ રાખો આ ધ્યાન અને મેળવો આ સમસ્યામાંથી છૂટકારો
કલાકો સુધી પેડ પહેરવા થી પરસેવો સુકાઈ જાય છે, જેના કારણે જંતુઓ અને ત્વચામાં ચેપ લાગે છે. આના થી બચવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઘણી મહિલાઓ ને પીરિયડ્સ દરમિયાન એન્ફેક્સશન ની સમસ્યા હોય છે. તેને ફોલ્લીઓ આંતરિક ખંજવાળ અને ગુપ્તાંગ ની નજીક થાય છે, અને ખંજવાળ નું કારણ બને છે. તેની સારવાર ટૂંક સમયમાં થવી જોઈએ નહી તો તેમની પીડાદાયક ફોલ્લીઓ બહાર આવે છે.
અમે સમજીએ છીએ કે મોટાભાગની મહિલાઓ પીરિયડ્સને ધિક્કારે છે. માસિક ધર્મ અથવા માસિકના તે પાંચ દિવસને મુશ્કેલ સમયગાળો માનવામાં આવે છે. કારણ કે તમને પેટમાં દુખાવો અને મૂડ સ્વિંગ તેમજ દર ચાર કલાકે સેનિટરી પેડ બદલવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે બજારમાં ઘણા સુગંધિત સેનિટરી પેડ્સ ઉપલબ્ધ છે, જે ત્વચાના ફોલ્લીઓ નું કારણ બને છે.
જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો આ પેડ્સમાં રહેલા રસાયણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આખો દિવસ આ પેડ્સ પહેર્યા પછી, તમે તમારી જાંઘ અને યોનિની આસપાસ લાલ ફોલ્લીઓ વિકસતા જોઈ શકો છો. આ ખંજવાળ વાળા ફોલ્લીઓ પણ અત્યંત પીડાદાયક છે. તમારે પીરિયડ્સ દરમિયાન તમારી સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ અને ત્વચા પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓ ટાળવા માટે આ ઉપાયોનો ઉપયોગ કરવો જોઈએ.
સમયસર પેડ બદલો
પીરિયડ્સ દરમિયાન પેડ બદલવામાં કોઈ સમય બગાડશો નહીં. તેને દર છ કલાકે પેડ ને બદલતા રહેવું જોઈએ.
સ્વચ્છતાનું ધ્યાન રાખશો
મહિલા એ આજકાલ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેણે સ્વચ્છતા જાળવવાથી કોઈ પણ પ્રકારના જંતુઓ તેમના શરીરમાં પેદા થતા નથી.
યોગ્ય પેડ પસંદ કરો
મહિલાઓ એ સારા સેનિટરી પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ. જે રક્તસ્ત્રાવ ને સંપૂર્ણ પણે શોષી લે છે, અને લાંબા સમય સુધી ચાલે છે, તે આસપાસ લોહી ફેલાવશે નહીં અને ફોલ્લીઓની સંભાવના પણ ઘટાડશે તેમજ સારી ગુણવત્તાના પેડ્સ ખરીદવા જોઈએ. મોટા પેડનો ઉપયોગ કરવાનો અર્થ એ નથી કે તમે તેને આખો દિવસ તેને બદલતા નથી.
પરફેક્ટ અંડરવેર ખરીદો
મહિલાઓ એ કોટન અંડરવેર નો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતી હવાને કારણે તે પરસેવો શોષી લે છે, અને ફોલ્લીઓ અને ચેપની સંભાવના ને પણ ઘટાડે છે.
એન્ટિસેપ્ટિક પાવડરનો ઉપયોગ કરો
જ્યારે પણ તમે પીરિયડ્સ દરમિયાન સેનિટરી પેડ બદલો ત્યારે ગુપ્તાંગ પર એન્ટિસેપ્ટિક પાવડર લગાવો. આનાથી ગુપ્તાંગ સુકાઈ જશે અને ફોલ્લીઓ થવાની સંભાવના પણ ઓછી થશે.
ડોક્ટરની ઉલ્લેખિત ક્રીમ લાગુ કરો
તમારા ડોક્ટરની સલાહ લો, અને તેમના દ્વારા સૂચવેલી ક્રીમનો ઉપયોગ કરો. તમારા ડોક્ટર જાણે છે કે વિવિધ પ્રકારના ફોલ્લીઓ માટે કઈ ક્રીમ અથવા દવા તમને રાહત આપશે. સેનિટરી પેડ ને કારણે યિસ્ટ ઇન્ફિનેશન માટે એન્ટી-ફંગલ ક્રીમ આપવામાં આવે છે. જોકે, બેક્ટેરિયાના ચેપ માટે એન્ટિસેપ્ટિક ક્રીમ આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત