તમારા સ્વાસ્થ્યને નીરોગી રાખવા માટે રામબાણ ઈલાજ છે આ તુલસીનું પાણી, આજે જ કરો સેવન અને નજર સામે જુઓ પરિણામ…

આપણે સૌએ દાદીમાના સમયથી સાંભળ્યું છે કે, તુલસીનુ પાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને રોજ તેનુ સેવન કરવું જોઈએ. તે માત્ર શરદી ઉધરસ ને દૂર રાખે છે એટલું જ નહીં પરંતુ, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને આપણને ઘણા રોગોથી પણ બચાવે છે. તેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં થાય છે.

image source

તુલસીને ધાર્મિક કારણોસર ઘણા ઘરોમાં સ્થાન આપવામાં આવે છે પરંતુ, તે ઘરનુ સ્વાસ્થ્ય જાળવવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો જાણે છે કે જો તેને ઉકાળીને પાણી સાથે પીવામાં આવે તો તેની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે.

image source

સવારે ગરમ પાણી કે ચા પીવી કે લેમોનેડ નું સેવન કરવું ગમે તો તમને જણાવી દઈએ કે તુલસીના પાનનું પાણી પીવાથી પણ તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થઈ શકે છે. તો ચાલો જાણીએ તુલસીનું પાણી પીવાથી શું શું ફાયદાઓ થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે?

image source

એક કઢાઈમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. હવે તેમાં તુલસી ના થોડા પાન ઉમેરી ને આ પાણીને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી તેને ગાળી લો. હવે તેમાં મધ ઉમેરી ને તેનું સેવન કરો. આ તુલસીનું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે, જેના કારણે કાર્બ્સ અને ફેટ્સ બર્ન કરવામાં સરળતા આવે છે.

image source

આ તમારા લોહીમાં ખાંડનું સ્તર નિયંત્રણમાં રાખે છે. આ તમામ ગુણધર્મો ને કારણે ડાયાબિટીસ ના દર્દીઓમાં ખાંડનું નિયંત્રણ વધુ સારું હોઈ શકે છે. આજની જીવનશૈલીમાં દરેક વ્યક્તિ તણાવ સામે ઝઝૂમી રહી છે. આ તણાવ લાંબા ગાળે અનેક ગંભીર રોગોનું કારણ બને છે.

image source

આ કિસ્સામાં તુલસી ના પાન ને ગરમ પીવા માટે ઉકાળીને તેનો ઉપયોગ કરો તો તમને તણાવમાંથી રાહત મળી શકે છે. એ જણાવીએ કે તુલસીમાં રહેલા તત્વ કોર્ટિસોલ હોર્મોન ને સંતુલિત કરે છે જે તણાવનું મુખ્ય કારણ છે. આજે, દરેક બીજી વ્યક્તિ વજન વધવાથી પીડાઈ રહી છે, અને વજન વધવા થી વ્યક્તિ ને માત્ર રોગો જ પકડતા નથી પરંતુ તણાવ પણ થાય છે. તુલસીના પાનનો ઉપયોગ કરવાથી તમને આ સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકાય છે.

image source

તુલસી ના પાનમાં ઘણા ગુણ હોય છે જે પાચનક્રિયા ને સુધારે છે, અને અપચો, વાયુ વગેરે દૂર કરે છે. તેનું સેવન શરીર માંથી ઝેર ને બહાર કાઢી શકે છે. તુલસીના પાંદડામાં ઇમ્યુનોમોડ્યુલેશન અને એક્સપોઝર ગુણધર્મો હોય છે, જે તમારી શ્વસનતંત્રની સંભાળ રાખે છે અને શ્વસન સમસ્યાઓ ને દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત