જાણી લો તમે પણ પાણી પીવા માટે કયો સમય છે યોગ્ય અને કયો નહિં..
શું તમે પાણી પીવા માટેનો યોગ્ય સમય જાણો છો,ખોટા સમયે પાણી પીવું એ નુકસાનકારક થઈ શકે છે……
શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું એ જરૂરી છે.વિશ્વના તમામ જીવોને પાણીની જરૂર હોય છે.પાણી વિના જીવનની કલ્પના કરી શકાતી નથી.આપણા શરીરમાં 60 ટકા પાણી જોવા મળે છે.જ્યારે આપણને તરસ લાગે છે, ત્યારે આપણે પાણીનો વપરાશ કરીએ છીએ,પરંતુ તેવું કરવું યોગ્ય નથી.આજે અમે તમને જણાવીશું કે કયા સમયે પાણી પીવું જોઈએ અને ક્યાં સમયે પાણી ન પીવું જોઈએ.પાણી શરીર માટે ખૂબ મહત્વનું છે.શરીરને સ્વસ્થ રાખવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 લિટર જેટલું પાણી પીવું જોઈએ.
યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરનું તાપમાન નિયંત્રિત થાય છે.યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરના કોષો મજબૂત થાય છે.
પૂરતા પ્રમાણમાં પાણી ન લેવાને કારણે નબળાઇ શરૂ થાય છે.શરીરમાં પાણીના અભાવને લીધે અનેક પ્રકારના રોગો થવાનું જોખમ રહે છે.
સુવાના સમયે પાણી પીવાથી આરોગ્યને નુકસાન થાય છે. જો તમે સુવાના સમય પહેલાં જ પાણી પિવ છો,તો તમારે રાત્રે વારંવાર શૌચાલય જવું પડે છે,જેના કારણે તમે તમારી ઊંઘને યોગ્ય રીતે પૂર્ણ કરી શકતા નથી. ઊંઘના અભાવના કારણે ઘણા રોગોનું જોખમ થાય છે.
રાત્રે જમ્યા બાદ અડધો કલાક પછી પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.આ સમયે પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર આવે છે.આ સમયે,નવશેકું પાણી પીવાથી પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરે છે.
જો તમને સૂવાનો સમય પહેલાં પાણી પીવાની ટેવ હોય,તો સૂવાના સમયે અડધા કલાક પહેલા પાણી પીવાનું રાખો.
સવારે ઉઠીને એકથી બે ગ્લાસ પાણી પીવું જોઈએ.પાણી પીવાથી શરીરના તમામ આંતરિક અવયવો ફરી સક્રિય થઈ જાય છે.આ સાથે,સવારે ઉઠ્યા પછી ખાવાની પેહલા પાણી પીવાથી તમારું શરીર સાફ થાય છે.
જો તમે જમ્યાના અડધો કલાક પહેલાં એક ગ્લાસ પાણી પીશો તો તમારું પાચન સારું રહેશે.યાદ રાખો કે જમવાની તરત પેહલા અથવા જમ્યા પછી તરત પાણી પીવું જોઈએ નહીં.આ કરવાથી,પાણી પાચક રસને પાતળું કરે છે અને તેથી પાચનમાં મુશ્કેલી ઉભી થાય છે.ભોજન પછી અડધા કલાક પછી પાણી પીવું જોઈએ, જેથી ખોરાકના પૌષ્ટિક તત્વોને શરીરને યોગ્ય રીતે શોષવાનો સમય મળે.ઉપરાંત,જમતી વખતે પાણી પીવું ન જોઈએ.જો તમને જમતી વખતે તરસ લાગે છે,તો પછી પાણીની જગ્યાએ દહીં,છાશ અથવા રાયતું ખાઓ.
સ્નાન કરતા અડધા કલાક પહેલાં પાણી પીવું જોઈએ.તેનાથી બ્લડ પ્રેશર વધતું નથી.
જયારે આપણને ભૂખ લાગે ત્યારે,આપણું શરીર તરસ જેવું જ સંકેત આપે છે.આવી સ્થિતિમાં,જો તમને લાગે કે તમને ભૂખ લાગી રહી છે તો પહેલા પાણી પીવો અને 10 મિનિટ રાહ જુઓ.જો તમને હજી ભૂખ લાગે છે તો કંઇક ખાઓ,પરંતુ ઘણી વખત પાણી પીધા પછી આ પ્રકારની ભૂખ નથી આવતી.આ કરવાથી તમે અકાળે નાસ્તા ખાવાનું ટાળશો.
જો તમને કામ કરતી વખતે થાક લાગે છે તો પાણી પીવો.અથવા જો તમારે કોઈ કામ પર ધ્યાન નથી લાગતું તો પાણી પી ને એ કામ કરવું તમારા માટે ઘણું ફાયદાકારક રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત