આ 5 જડીબુટ્ટીઓનો આ રીતે કરો ઉપયોગ, અને પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી મેળવો રાહત

આ 5 આયુર્વેદિક જડીબુટ્ટીઓ પીરિયડ્સના સમયમાં અસહ્ય પીડા અને ખેંચાણને દૂર કરવામાં મદદગાર છે.

દરેક મહિલાઓના જીવનમાં દર મહિનાના 5 કે 7 દિવસ ખૂબ જ મુશ્કેલ હોય છે.આ તે દિવસો છે જ્યારે મહિલાઓને દર મહિને પીરિયડ્સ આવે છે.આ દિવસોમાં ઘણી સ્ત્રીઓ અસહ્ય પીડા અને પીરિયડ્સના ખેંચાણમાંથી પસાર થાય છે.તો તે દુખાવો ઓછો કરવા તમે શું કરો છો?

image source

કદાચ કેટલીક સ્ત્રીઓ આ દુખાવો સહન કરે છે અથવા કેટલીક સ્ત્રીઓ પેઇન કિલર ખાયને દુખાવો સહન કરે છે,પરંતુ પેઇનકિલર ખાવા કરતા તેનો કુદરતી ઉપચાર કરવો વધુ સારો રહેશે.હા,આયુર્વેદમાં ઘણી ઔષધીય વનસ્પતિઓ છે,જે તમારા સમયગાળાના અસહ્ય પીડાને ઘટાડી શકે છે.આવો,અહીંયા અમે તમને જણાવી રહ્યા છીએ આવી જ 5 આયુર્વેદિક ઔષધીઓ,જે તમને પીરિયડ્સની પીડા અને ખેંચાણથી રાહત આપવામાં મદદ કરશે.

અજમો

image source

તમારા પીરિયડ્સની પીડા અને ખેંચાણ દૂર કરવા માટે અજમો એ એક ખૂબ જ અસરકારક આયુર્વેદિક ઉપાય છે.તે તમારા પીરિયડ્સની પીડા ઘટાડવામાં અને પીરિયડ્સને વધુ સરળ બનાવવામાં મદદગાર છે.ખેંચાણ ટાળવા અથવા દુખાવો મટાડવા માટે તમે પીરિયડ્સ દરમિયાન અજમાની ચા પી શકો છો.તમે 1 કે 2 કપમાં 2-3 ચપટી અજમો નાખી દો અને પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો.તમે તેમાં મધ ઉમેરો અને દિવસમાં 2 વાર પીવો.આ રીતથી જરૂર તમારો દુખાવો ઓછો થશે.

મેથીના દાણા

image source

પીરિયડ્સના દુખાવામાં રાહત માટે મેથીના દાણા પણ ખૂબ અસરકારક છે.તમારા પીરિયડ્સના દુખાવામાં રાહત આપવા ઉપરાંત મેથીના દાણા ઘણા રોગો માટે ફાયદાકારક છે.તમે 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.બીજે દિવસે સવારે તમે તેમાં કાળા મીઠું નાખો અને આ પાણી પીવો.આ પાણી પી ને મેથીનો દાણો ચાવો.આથી તમારો દુખાવો પણ ઓછો થશે અને ખેંચાણમાં ફાયદો પણ થશે.

તલ નું તેલ

image source

પીરિયડ્સની પીડા અને ખેંચાણ દૂર કરવામાં તલનું તેલ પણ એકદમ અસરકારક માનવામાં આવે છે.જો તમને પીરિયડ્સ દરમિયાન ખેંચાણ થાય છે અથવા દુખાવો થાય છે,તો પેટના નીચેના ભાગમાં થોડું તલનું તેલ લગાવો.પછી પાણીની થેલીમાં ગરમ પાણી નાંખો અને તેને પેટ પર મૂકી તેનો સેક કરો.

એલોવેરા

image source

એલોવેરાને દરેક સ્ત્રીનો શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે.કારણ કે તે મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે અને તેમની ત્વચા અને વાળની સુંદરતામાં પણ વધારો કરે છે.પીરિયડ્સની પીડા અને ખેંચાણથી બચવા માટે તમારે સવારે ખાલી પેટ પર એલોવેરાનુ જ્યુસ પીવું જોઈએ.આ જ્યુસ તમારા પીરિયડ્સની પીડા દૂર કરવા માટે અને બીજા ઘણા બધા ફાયદા માટે ઉપયોગી છે.

ગોળ

image source

ગોળ પણ તમારા પીરિયડ્સને લગતી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે.તમારે ફક્ત તમારા પીરિયડ્સના આવવાના દિવસનો અંદાજ કરી લેવો અને તેનાથી ઓછામાં ઓછા 3 દિવસ પહેલા પાણીમાં ગોળ સાથે ખાંડ નાખી આ ત્રણેયને મિક્સ કરીને પીવું જોઈએ.મેથી-અજવાઈન અને ગોળનું મિશ્રણ પણ પીરિયડ્સના દુખાવા અથવા ખેંચાણથી મુક્તિ મેળવવાની એક સરસ રીત છે.તમે તેને ગરમ પાણી સાથે સવારે ખાલી પેટ પર લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત