ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ના કરો એક સાથે, નહિં તો આવશે રોવાનો વારો
આયુર્વેદ અનુસાર જુદી જુદી પ્રકૃતિ અથવા પ્રકૃતિની વસ્તુઓ એક સાથે ન ખાવી જોઈએ.અહીં અમે તમને ખાવા-પીવાની કેટલીક સમાન બાબતો વિશે જણાવી રહ્યાં છીએ,જેને એક સાથે ખાવા માટે મનાય કરવામાં આવે છે,નહીંતર આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તમને ક્યારેય દહીં ખાધા પછી ચા પીવાનું મન થયું હશે,પરંતુ તમારી માટે ચા પીવાની ના પડી દીધી હશે.ક્યારેક આવી રોક-ટોક અથાણાં અને દૂધના સેવનમાં પણ કરવામાં આવી હોય,તો ક્યારેક એવું કહેવામાં આવે છે કે તરસ લાગે તો પહેલાં પાણી લો અને પછી ચા પીવો.ચા પછી પાણી ના પીવું જોઈએ.મીઠાઇ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ ? આ સવાલ પણ તમારા મનમાં ઘણી વાર આવ્યો હશે.ઘણી વખત આપણે આવી બે ચીજો સેવન પણ સાથે કરી શકતા નથી,જે આપણા માટે ફાયદાકારક હોય છે અને સ્વસ્થ આહારનો એક ભાગ પણ હોય છે.
ફળો,દહીં,દૂધ,કચુંબર,કઠોળ અને માંસ એ તંદુરસ્ત ખોરાક તો છે,પરંતુ જ્યારે તમે તેને યોગ્ય સંયોજન સાથે ખાવ છો ત્યારે જ તેનું પોષણ મળે છે.હવે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે સલાડ બનાવો છો,ત્યારે તેમાં ક્યા ફળોને એક સાથે શામેલ ન કરવા જોઈએ.દૂધ સાથે અથવા પછી શું ન ખાવું જોઈએ અથવા દહીં સાથે શું ન ખાવું જોઈએ.તમારા આ દરેક પ્રશ્નોના જવાબ આજે અમે તમને જણાવીશું.તો ચાલો આજના લેખમાં જાણીએ કે ક્યાં ખોરાક સાથે શું ખાવું જોઈએ અથવા શું ન ખાવું જોઈએ.
દહીં સાથે શું ન ખાવું જોઈએ.
1. ખાટા ફળો દહીં સાથે ન ખાવા જોઈએ.
2. માછલી સાથેનો દહીંનું સેવન ટાળવું જોઈએ.
3. દહીં અને ફળોમાં જુદા જુદા એન્ઝાઇમ હોય છે.આને કારણે શરીર તેમને એકસાથે પચાવી શકતા નથી,તેથી દહીં અને ફળોનું સેવન એકસાથે ન કરવું જોઈએ.
દૂધ સાથે શું ન ખાવું જોઈએ.
1.તળેલી ચીજો સાથે દૂધનું સેવન કરવાથી તમને સમસ્યા થઈ શકે છે,તેથી તે ટાળવું જોઈએ.
2.ઇંડા,માંસ અને ચીઝ ખાધા પછી દૂધ પીવાનું ટાળવું જોઈએ.તેમને સાથે ખાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે.જેના દ્વારા પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.જેમ કે,ગેસ,એસીડીટી અથવા તો પેટનું ફૂલવું.તેથી આ ચીજોનું સેવન દૂધ સાથે ન કરવું જોઈએ.
3.બહાર મળતા પેકેટ્સ સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ.કારણ કે બહાર મળતા પેકેટ્સમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે,તેથી મીઠાવાળી ચીજો સાથે દૂધ ન પીવું જોઈએ.દૂધમાં પ્રોટીન હોય છે, મીઠાવાળી ચીજોનું દૂધ સાથે સેવન કરવાથી મીઠું દૂધમાં ભળી જાય છે,જેથી શરીરમાં પ્રોટીન જામી જાય છે અને તેથી આપણા શરીરમાં દૂધનું પોષણ મળતું અટકી જાય છે.
જાણો ક્યાં ફળોનું સેવન એકસાથે ન કરવું જોઈએ.
1.વિટામિન સી અને કેલ્શિયમવાળા ફળો એકસાથે ખાવાનું ટાળો.
2.નારંગી અને કેળા એક સાથે ન ખાવા જોઈએ.આ ફળોનું સેવન સાથે કરવાથી ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે.
આયુર્વેદ મુજબ કઈ વસ્તુઓને સાથે ન ખાવી જોઈએ
1. માછલી અને મરી.
2. તલ અને પાલક.
3. મશરૂમ અને સરસવનું તેલ.
4. ઘી,તેલ,તરબૂચ,જામફળ,કાકડી,જાંબુ અથવા મગફળીનું સેવન સાથે ન કરવું જોઈએ.
5. ખીર સાથે સત્તુ,વાઇન,ખાટા ફળો અને જેકફ્રૂટનું સેવન ન કરવું જોઈએ.
6. ભાત સાથે એપલ સાઇડર વિનેગારનું સેવન ન કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત