કોરોના સામે લડવા હર્બલ સેનેટાઇઝર કેટલુ છે ઉપયોગી, જાણો તમે પણ
કોરોના વાયરસની જ્ડ્ડી- બુટ્ટી
કોરોના વાયરસને હવે કોઇપણ કીમતે અને કોઇપણ પ્રકારે નાબુદ કરવાનો છે, એટલા માટે અહિયાં વાત ફક્ત સૈશેમાં મળતા ઉકાળા સુધી જ નહી, ઉપરાંત આયુર્વેદિક એટલે કે હર્બલ હેન્ડ સેનેટાઈઝર સુધી પણ આવી પહોચી છે.
દુનિયાના સૌથી નવા વાયરસ કોરોના વાયરસને દુનિયાની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ માત આપવા માટે ઉભી થઈ ગઈ છે. કોરોના વાયરસને ખતમ કરવા માટે આયુર્વેદના કેટલાક અસ્ત્ર યુદ્ધ ક્ષેત્રમાં સક્રિય થઈ ગયા છે. ક્યાંક હર્બલ માસ્ક ઉપયોગમાં લેવાય છે તો ક્યાંક હર્બલ સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બજારમાં હવે આયુર્વેદિક જડી- બુટ્ટીઓના ચમત્કારિક અર્કના ગુણો ધરાવતા હેન્ડ સેનેટાઈઝર પણ ઉપલબ્ધ થવા લાગ્યા છે.
કોરોના વાયરસને હવે કોઇપણ કીમતે અને કોઇપણ પ્રકારમાં નાબુદ કરવાનો છે, એટલા માટે અહિયાં વાત ફક્ત સૈશેમાં પેક ઉકાળા સુધી જ નહી ઉપરાંત આયુર્વેદિક એટલે કે હર્બલ હેન્ડ સેનેટાઈઝર સુધી પણ આવી પહોચી છે. આયુર્વેદિક વૈધોની દ્રષ્ટિમાં આ દેશી તકનીકની મદદથી વિદેશી વાયરસ કોરોના વાયરસના છક્કા છોડાવી દેશે.
એમિલ ફાર્માસ્યુટિકલ કંપનીના કાર્યકારી નિર્દેશક, સંચિત શર્મા જણાવે છે કે, પ્રાચીન આયુર્વેદિક જડી- બુટ્ટીઓ પર ભારતીય ઋષીઓની સદીયો પહેલા કરેલ મહેનત, શોધ- ખોળ અને પ્રયોગો આજે પણ અમારા કામમાં આવી રહ્યા છે. ફક્ત જરૂરિયાત છે તો પ્રાચીન સમયના ગ્રંથોના પાનાઓને ધ્યાન પૂર્વક વાચવાની જ જરૂરિયાત છે.
આપને જણાવીએ કે, કોરોના વાયરસ સંક્રમણએ ના ફક્ત ભારતમાં જ ઉપરાંત આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસ સંક્રમણએ હવે એક મહામારીનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં ૬૭ લાખ કરતા પણ વધારે કેસો નોધાય ગયા છે. જયારે આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કારણે અંદાજીત સાડા ચાર લાખ વ્યક્તિઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તેમજ ભારતમાં અત્યાર સુધી ૨ લાખ ૩૬ હજાર કરતા વધારે વ્યક્તિઓ કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ ગયા છે એમાંથી સાડા છ હજાર કરતા પણ વધારે વ્યક્તિઓને કોરોના વાયરસ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
ચીનના વુહાન શહેર માંથી નીકળેલ કોરોના વાયરસ સંક્રમણએ હવે એક મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે દુનિયાના મોટાભાગના દેશોએ પોતાના દેશમાં લોકડાઉન લાગુ કરી દીધું છે જેના પરિણામ સ્વરૂપ દેશ અને દુનિયાના અર્થતંત્રને ખુબ મોટો ફટકો પડ્યો છે. દુનિયાના અન્ય દેશોની સાથે જ ભારતમાં પણ ૨૬ માર્ચ, ૨૦૨૦ ના રોજથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત